શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ કારણોસર ગુરુવારે બપોરના 4 વાગે પોતાના ઘરે ગળેફાંસો ખાતા તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો જયાં સારવાર દરમિયાન તેનુ મોત નિપજયુ હતુ. આ મામલે હાલમાં પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આત્મહત્યા માટે જવાબદાર કારણની તપાસ હાથ ધરી છે.
ખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ
કાયદેસરના મકાનની બાજુમાં ગેરકાયદે મકાન બનાવી દસ્તાવેજ આપ્યો હતો ખોખરામાં રહેતા વેપારીએ તેમના નજીકમાં રહેતા બે ભાઈઓનુ મકાન ખરીદવા માટે રૂ.27 લાખ બોનાપેટે આપ્યા હતા. આ દરમિયાન તેમને જાણ થઈ…