રામોલ હાથીજણના ભાજપના કોર્પોરેટર દારૂ પીધેલા પકડાયા

વેપારીના ઘરે જઈ બકવાસ કર્યાની ફરિયાદ

રામોલ હાથીજણ વોર્ડના ભાજય કોર્પોરેટર સિદ્ધાર્થ પરમાર સામે દારૂ પીધેલી હાલતમાં બફાટ કર્યાની ફરિયાદ વિવેકાનંદનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.

હાથીજણ વિવેકાનંદ નગરમાં રહેતા વેપારી અનિલકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ ગત મંગળવારે તેઓ મણિનગર દવાખાનાનુ કામ પતાવીને ઘરે આવ્યા ત્યારે રાતના 12.20 વાગે તેમના મિત્રનો પુત્ર હર્શલ સેવક અને બ્રિજેશ પરમાર તેમના ઘર પાસે ઉભા હતા.આ લોકોએ તેમને જાણ કરી હતી કે તેમની ગેરહાજરીમાં મ્યુનિસિપલ કાઉન્સીલર સિદ્ધાર્થ પરમાર કેફી પીણું પીધેલી હાલતમાં આવ્યા હતા અને કહ્યુ હતુ કે ઉર્મિલભાઈ અને યશભાઈનો જે બનાવ બન્યો તો તમારા નેતાઓ કથા ગયા હતા બચાવવા આવ્યા નહીં તેમ કહીને અપશબ્દો બોલીને જાહેરમાં બકવાટ કર્યો હતો.

આ જાણ્યા બાદ અનિલકુમાર પટેલે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને રામોલ હાથીજણ વોર્ડના ભાજપના કોર્પોરેટર સિદ્ધાર્થ પરમાર સામે ફરિયાદ કરી હતી. જેના પગલે વિવેકાનંદ નગર પોલીસની ટીમ દિનદયાલ નગર સીમાકોલોની પાસે સિદ્ધાર્થ પરમારના ઘર પાસે પહોંચી હતી. જયાં તેમને બોલાવીને તપાસ કરતા તેઓ જાહેરમાં લથડીયા ખાતા બકવાટ કરતા મળી આવ્યા હતા. આ અંગે વિવેકાનંદનગર પોલીસે કોર્પોરેટર સામે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરી તેમની ધરપકડ કરી હતી.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન