પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

રબારી કોલોની, સોનીની ચાલી પરના ટાવરની લાઈટો બંધ રહે છે: સ્થાનિકો

શહેરના પૂર્વ વિસ્તારમાં સ્ટ્રીટલાઈટ અને ટાવર લાઈટો બંધ રહેવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. થોડા સમયથી પૂર્વના વિવિધ વિસ્તારોના મુખ્ય માર્ગો પર અંધારપટ જેવી સ્થિતિને પગલે અકસ્માતો થવાની સમસ્યાઓ વકરી હોવાની ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. આ વચ્ચે સોનીની ચાલી બ્રિજથી અજિત મીલ જવાના માર્ગ પર પણ જાહેરમાર્ગની લાઈટ બંધ હોવાને પગલે અકસ્માતના કિસ્સા વધ્યા હોવાની સ્થાનિકો ફરિયાદ કરી રહ્યા છે. તંત્ર દ્વારા તાકિદે જાહેરમાર્ગો પરની સ્ટ્રીટલાઈટો અને ટાવર પરની બંધ પડેલી લાઈટોનું સમારકામ કરી શરૂ કરવામાં આવે તેવી માગ કરી રહ્યા છે.

ખોખરાથી સીટીએમ, હાટકેશ્વરથી બાપુનગર, અજીત મિલથી ઓઢવ રીંગ રોડ, નિકોલથી નરોડા માર્ગ, રામોલ સહિત લાંભાના માર્ગો પર સ્ટ્રીટલાઈટો બંધ રહેવાની ફરિયાદો ઉભી થતી હોય છે.

સમારકામ કર્યા બાદ પણ સ્ટ્રીટલાઈટો વારંવાર બંધ રહેવાની સમસ્યાને પગલે સમારકામ યોગ્ય રીતે કરવામાં આવતી ન હોવાની પણ ફરિયાદો સ્થાનિકો કરી રહ્યા છે. ઘણીવાર રાત્રિના સમયે સ્ટ્રીટલાઈટો અને ટાવર લાઈટો બંધ રહેવાની સમસ્યાને પગલે સ્થાનિકોમાં ચોરી અને છેડતી જેવા બનાવોનો ભય પણ જોવા મળતો હોય છે. તંત્ર દ્વારા તાકિદે જાહેર માર્ગોની સ્ટ્રીટલાઈટો અને ટાવરો લાઈટોની યોગ્ય ચકાસણી કરી બંધ પડેલી લાઈટો શરૂ કરવામાં આવે તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી