કણભા પોલીસે 4 આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી
કણભાની એક કંપનીમાં નોકરી કરતા યુવકએ પત્ની,તેના પ્રેમી અને સાસરિયાના ત્રાસથી કંટાળીને ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો છે. જેમાં યુવક પાસેથી એક સ્યુસાઈટ નોટ પણ મળી હતી. આ અંગે કણભા પોલીસે ચાર આરોપી સામે ગુનો નોંધીની વધુ તપાસ હાથધરી છે.
ઉત્તરપ્રદેશમાં રહેતા બ્રજેશસિંહ મોર્ય રાજસ્થાનની કંપનીમાં નોકરી કરે છે. તેમનો નાનોભાઈ અનિલ પાંચ મહિનાથી બાંકરોલ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. અનિલના લગ્ન વર્ષ 2024માં ઉત્તરપ્રદેશના જસવીરસિંહ શાક્યની પુત્રી જ્યોતિ સાથે થયા હતા. ત્યારે જ્યોતિ હોળીના તહેવાર હોવાથી પિયરમાં ગઈ ત્યારથી ત્યાં રહેતી હતી. ગત 31 માર્ચે અનિલે કંપનીમાં તેના રૂમમાં ગળેફાંસો ખાઇને આપઘાત કર્યો હતો.જે અંગે કણભા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. દરમ્યાન અનિલની સાથે નોકરી કરતા શ્યામુ રાઠોડને એક સ્યૂસાઈડ નોટ મળી આવી હતી. જે અનિલે લખેલ હતી. જેમાં મમ્મી-પપ્પા મારે ઘણા દિવસોથી તમને કંઇક કહેવુ હતુ જે આજે કહી રહ્યો છું આ જીવનનો છેલ્લો સફર છે.
મારી મોત પાછળ જ્યોતિ, તેનો પ્રેમી વિજય, તેના પિતા જસવીરસિંહ અને તેના મોટા બાપા ગજેન્દ્રસિંહ જવાબદાર છે. તેમજ જ્યોતિને કોઈ વિજય સાથે પ્રેમસંબંધ હોવા છતા તેના પિતા અને મોટા બાપાએ અનિલ સાથે તેના લગ્ન કરાવ્યા હતા.બાદમાં તમામ ભેગા મળીને અનિલને ત્રાસ આપતા હતા. જેથી તેને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યુ છે. આ અંગે કણભા પોલીસે પત્ની. તેના પ્રેમી સહિત ચારેય સામે દુઃત્પ્રેરણાનો ગુનો નોંધ્યો છે.