બિલ્ડર મિલાપ શાહ નારોલની ઓરડીમાં છુપાયો હતો, ધરપકડ બાદ પોલીસ સ્ટેશનથી જ જૉમીન

બોપલ હિટ એન્ડ રન|બિલ્ડરની ધરપકડ કાયદેસર છે કે નહિ તેની સુનાવણીમાં કોર્ટનો આદેશ

બોપલમાં મર્સિડીઝથી સિક્યોરિટી ગાર્ડનું મોત નીપજાવનારા સગીર પુત્રના બિલ્ડર પિતા મિલાપ શાહની પોલીસે ધરપકડ કર્યા બાદ પોલીસ સ્ટેશનમાંથી જામીન અપાયા હતા. પોલીસે ત્રણ દિવસના રિમાન્ડ મેળવવા ગ્રામ્ય કોર્ટમાં અરજી કરી મિલાપ શાહને રજૂ કર્યો હતો. પરંતુ રિમાન્ડ અરજીની સુનાવણી પહેલાં સગીર પુત્રના પિતાની ધરપકડ કાયદેસર છે કે કેમ તે અંગે સુનાવણી થઈ હતી, જેમાં સગીરે કરેલા અકસ્માતમાં કોનો વાંક છે તે વિશે દલીલો થઈ હતી. જોકે કોર્ટે આરોપી બિલ્ડરને પોલીસ સ્ટેશન લઈ જઈને ત્યાંથી જામીન આપવાનો મૌખિક આદેશ કર્યો હતો.

આ કેસમાં અકસ્માત કરનારા સગીર પુત્રે પરીક્ષાનું કારણ ધરી 24 સપ્ટેમ્બર સુધી વચગાળાના જામીન મેળવ્યા છે. જ્યારે મિલાપ શાહ ધરપકડથી બચવા નારોલમાં મીત કેમિકલ નામની કંપનીની બાજુની ઓરડીમાં અને ત્યાર બાદ સંબંધીના ઘરે રોકાયો હતો. અંતે પોલીસે મિલાપ શાહની બોપલ-આંબલી રોડ પરથી ધરપકડ કરી હતી.

  • Related Posts

    ડોક્ટર મહિલાની સાસરિયાં સામે ત્રાસ આપ્યાની ફરિયાદ

    દરિયાપુરની મહિલા પાસે પતિ દહેજ માગતો હતો દરિયાપુરમાં રહેતી ડોકટર મહિલાએ વડોદરામાં રહેતા તેના એન્જીનીયર પતિ અને સાસરીયા સામે દહેજની માંગણી કરી માનસિક અને શારીરિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે.…

    વટવામાં માલ આપવાનું કહી વેપારી સાથે 12 લાખની ઠગાઈ

    4 વર્ષથી રૂપિયા લઈ માલ કે રૂપિયા પરત ન આપ્યા ન્યુ રાણીપમાં રહેતા અને ઓઢવમાં ટીએમટી સળીયાનો વ્યવ્સાય કરતા વેપારીને નારોલમાં ઓફિસ ધરાવતા ડીલરે સળીયાના માલના રૂપિયા રૂ.12.7 લાખ લઈને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન