નરોડામાં સરકારી કોન્ટ્રાકટરની વ્યાજખોર સામે ત્રાસની ફરિયાદ

20 ટકાથી વધુ વ્યાજ નહીં ચૂકવે તો પરિવારને મારવાની ધમકી

નરોડામાં રહેતા કોન્ટ્રાકટરે મજૂરગામમાં વ્યાજનો ધંધો કરતા શખ્સ પાસેથી 10 ટકા વ્યાજે રૂપિયા લીધા હતા. જેમાં લીધેલી રકમ સામે વ્યાજ સહિતના રૂપિયાની ચુકવણી કરી દીધી હોવા છતાં 20 ટકાથી વધુ વ્યાજની માગણી કરીને કોન્ટ્રાકટર અને તેના પરિવારને જાનથી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે નરોડા પોલીસ સ્ટેશનમાં વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવાઈ છે.

નરોડામાં શ્યામકુટીરમાં રહેતા હાર્દિકભાઈ પટેલ સરકારી કનસ્ટ્રકશનને લગતા ટેન્ડરનુ કામકામ કરે છે. દરમિયાન મણિનગરમાં કામકાજ ચાલતુ હોઈ તેમને જાણ થઈ હતી તકે મજૂરગામ લક્ષ્મીપુરાની ચાલીમાં રહેતા મનોજભાઈ રેવર વ્યાજે પૈસા આપે છે. જેથી હાર્દિકભાઈ મનોજભાઈ પાસેથી 2023માં પૈસાની જરૂર હોઈ 44લાખ વ્યાજે લીધા હતા. જેના 10 ટકા વ્યાજ સહિતના રૂપિયા ચુકવી દીધા હતા.ત્યારબાદ બીજો વ્યવ્હાર 34 લાખનો કર્યો હતો. આમ વર્ષ 2023 જાન્યુઆરીથી ઓકટોબર સુધીમાં તેમનો વ્યવ્હાર ચાલુ હતો. અને ત્યારબાદ હાર્દિકભાઈએ રૂ. 40 લાખ લીધા હતા. જે પેટે રૂ. 90 લાખ તેમણે ચુકવ્યા હતા.

જેમાં 20 લાખની બેન્કની એન્ટ્રી હતી. ત્યારબાદ બીજા 45 લાખ લીધા હતા જેની સામે 80 લાખ ચુકવ્યા હતા પરંતુ મનોજભાઈએ હાર્દિકભાઈના ઘરે આવીને કહ્યુ હતુ કે મારે તમારી પાસેથી 2 કરોડ 80 લાખ લેવાના બાકી છે. જે રકમ 20 ટકાથી વધુ હોઈ હાર્દિકભાઈએ આપવાનો ઈન્કાર કરતા તેમને રૂપિયા નહી આપે તો તેમને તથા તેમના પરિવારને ભોગવવુ પડશે તેવી ધમકી આપતા હતા.

ગત 12 માર્ચે રાતના મનોજભાઈ તેમની પત્ની અને દિકરો હાર્દિકભાઈના ઘરે ગયા હતા અને હિસાબ બાબતે વાતચીત કરીને રૂ. 2 કરોડ 80 લાખ તો આપવા જ પડશે.ફકત વ્યાજ ચુકવ્યુ છે મુડી તો બાકી છે તેમ કહીને વધુ રૂપિયાની માંગ કરી હતી. આ મામલે હાર્દિકભાઈએ ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો