પીએમ જય સંલગ્ન હોસ્પિટલો હવેથી રાજ્યમાં મેડિકલ કેમ્પ નહીં યોજી શકે

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કેસ બાદ સરકારે નિર્ણય જાહેર કર્યો

ગુજરાત સરકારેખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. આ નિર્ણય અનુસાર પી એમ જય યોજના સાથે સંકળાયેલી રાજ્યની કોઈપણ હોસ્પિટલ મેડિકલ કેમ્પ યોજી શકશે નહીં. જો કોઈ હોસ્પિટલ આવી કોઇ પ્રવૃત્તિ કરતી જણાશે તો તેની સામે કડક શિક્ષાની જોગવાઇઓ લાગુ કરાશે તેવું પણ સરકારે જાહેર કર્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગ હેઠળની તબીબી સેવાઓની શાખાએ જારી કરેલા પત્ર અનુસાર આવા કોઈ મેડિકલ કેમ્પને સરકાર દ્વારા પ્રોત્સાહન અપાતું નથી અને તેમને આવાં કેમ્પ યોજવાના રહેતાં નથી. આરોગ્ય વિભાગના તમામ અધિકારીઓ અને યોજના સાથે સંકળાયેલી હોસ્પિટલોને ઉદ્દેશીને લખાયેલા પત્રમાં જણાવાયું છે કે, આ નિયમને સહુએ ગંભીરપણે પાળવાનો રહેશે.રાજ્યના આરોગ્ય વિભાગનાધ્યાને આવ્યું છે કે, પીએમ જય યોજના સાથે સંકળાયેલી કેટલીક હોસ્પિટલો મરીજોને શોધવા અને તેમના પર શસ્ત્રક્રિયા કરી યોજના હેઠળ સરકારમાંથી પૈસા પડાવવાના આશયથી આવા મેડિકલ કેમ્પ યોજે છે અને ગરીબ દર્દીઓને શિકાર બનાવે છે. આ પ્રવૃત્તિ પર નિયંત્રણ લાવવા માટે આ નિયમ લાગુ કરાયો છે.

ખ્યાતિ હોસ્પિટલ સામે કેસ લડવા ખાસ સરકારી વકીલ નિમાયા

ગુજરાત સરકારે ખ્યાતિ હોસ્પિટલ વિરુદ્ધ અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ ફરિયાદ અદાલતમાં લડવા ગુજરાત સરકારે ખાસ સરકારી વકીલ તરીકે અજય બારોટની નિમણૂક કરી છે. બહોળો અનુભવ ધરાવતા અને મહેસાણા જિલ્લાના મુખ્યસ વકીલ અજય બારોટ હવે સરકાર વતી અદાલતમાં આ કેસમાં હાજર રહેશે.

  • Related Posts

    દાણીલીમડામાં નશાકારક કફશીરપના જથ્થા સાથે એકની ધરપકડ, 1 વોન્ટેડ

    285 બોટલો મળી કુલ રૂ. 77 હજારનો મુદ્દામાલ કબજે કર્યો શહેરના દાણીલીમડા વિસ્તારમાં નશો કરવા માટે કફશીરપનુ વેચાણ કરતા એક યુવકની પોલીસે ધરપકડ કરીને તેની પાસેથી કફસીરપની 285 બોટલો કિંમત…

    ચાંગોદરમાં 7 વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરી રહેલો હોમિયોપથી ડોક્ટર ઝડપાયો

    મોરૈયા ક્રોસિંગ પાસેના ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની કાર્યવાહી જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી છેલ્લાં સાત વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરતા હોમિયોપથી ડોક્ટરને પકડી પાડયો હોવાનું જાણવા મળ્યું છે. આ બાબતે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો

    જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

    નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો