કમલેશ શાહ પર ITના દરોડાની અસર, CG રોડની આંગડિયા પેઢીઓને તાળાં

રવિવારે પણ દરોડા ચાલુ રહ્યા, મોટાપાયે દસ્તાવેજો, ડિજિટલ ડેટા જપ્ત

કૌભાંડમાં સંડોવાયેલાં મોટાં માથાં શોધવા અન્ય એજન્સીઓ પણ જોડાઈ

ક્યાંય પણ ઈન્કમટેક્સના દરોડા પડે તો પકડાતી રકમ પોતાની હોવાનો દાવો કરતા કમલેશ શાહ પર ઈન્કમટેક્સની રેડને પગલે સીજી રોડ પર આવેલી આંગડિયા પેઢીના માલિકો પેઢી બંધ કરી રફુચક્કર થઈ ગયા છે. કમલેશ શાહ ઉપરાંત તેમના મળતિયા પર પડેલા દરોડા રવિવારે પણ ચાલુ રહ્યા હતા.

ઈન્કમટેક્સ, જીએસટી, ડીઆરઆઈ અને ઈડી જેવી સંસ્થાઓ કમલેશ શાહના સાયન્સ સિટી ખાતેના ઘર અને ગૌરવ પંચાલની સીજી રોડ પર આવેલી ઓફિસ, રતનપોળની એનઆર કંપનીમાં મળી 15 સ્થળે તપાસ કરી રહી છે. અત્યાર સુધી મોટા પ્રમાણમાં દસ્તાવેજો અને ડિજિટલ ડેટા એકત્ર કરવામાં આવ્યો છે. સમગ્ર કૌભાંડ પાછળ સંડોવાયેલા મોટા માથાના નામો બહાર આવે તેવી શક્યતા છે.

દરોડામાં કમલેશ શાહના વિવિધ દસ્તાવેજ પર સ્ટેટમેન્ટ લેવાની કાર્યવાહી ચાલી રહી છે. આ ઉપરાંત ડિજિટલ ડિવાઇસમાંથી ડેટા એકત્રિત કરવાની, મળતિયાઓના કોલ ડેટાનો અભ્યાસ કરવાની કવાયત ચાલી રહી છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, અધિકારીઓને મોટા ભાગની સફળતા મળી ગઇ છે. બીજી તરફ શુક્રવારે શરૂ થયેલા ઇન્કમટેકસના દરોડાની કાર્યવાહીના પગલે શહેરના સીજી રોડ પર આવેલા તમામ આંગડિયા પેઢીઓના સંચાલકો બંધ કરીને જતા રહ્યાં હતા. શનિવાર અને રવિવારે પણ આંગડિયા પેઢીઓ બંધ રહી હતી.

  • Related Posts

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    શહેરના ગોમતીપુરના નાગપુરાવોરાની ચાલી અને નળીયાવાળી ચાલીમાં એકમહિનાથી પ્રદૂષિત પાણી આવતા હોવાથી લોકો પરેસાન થઈ ગયા છે. વારંવાર ફરિયાદ કરવા છતાં કોઈ કામગીરી કરાતી ન હોવાથી લોકોને હેરાન થવાનો વારો…

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    ભોપાલમાં એઈમ્સમાં નર્સીગં ઓફિસર તરીકે ફરજ બજાવતી યુવતી રેલવે વિભાગની નર્સીગંની પરીક્ષા આપવા માટે અમદાવાદ આવી હતી. પરીક્ષા આપ્યા બાદ યુવતી તેની બહેનપણી સહિત ત્રણ વ્યકિત ભૂખ લાગતા નાસ્તો કરવા…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ગોમતીપુરની કેટલીક ચાલીઓમાં પીવાના પાણી પ્રદૂષિત આવતા રહીશોને હાલાકી

    નિકોલમાં કારનો કાચ તોડી નર્સીગ ઓફિસરના દસ્તાવેજ રોકડ ભરેલા પર્સની ચોરી

    નિકોલમાં ઘરેથી કલાસીસમાં જવા નીકળેલો વિદ્યાર્થી ગુમ

    તંત્રે વેઠ ઉતારતાં ખોખરામાં રોડ બન્યાના ગણતરીના દિવસોમાં જ ભૂવો પડયો

    બાપુનગરમાં શાસ્ત્રી સ્ટેડિયમની આસપાસ રહેતાં 15 હજાર રહીશો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો