હાથીજણના લાલગેબી સર્કલના રોડ પાસે માટીના ઢગલા કરાતા વાહનચાલકો હેરાન

ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યાં રોડ પહોળા કરવા માટી નાંખતા રોડ બગડશે

શહેરના હાથીજણના લાલગેબી સર્કલ પાસે રોડ પહોળો કરવા માટે તેની પાસે માટીના ઢગલા કરવામાં આવ્યા છે. હવે ચોમાસાની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે તંત્ર દ્વારા રોડ પર માટીના ઢગલા કરાતા સામાન્ય વરસાદમાં પણ અહીંયા કાદવ-કીચડની સમસ્યા સર્જાય તેવી આશંકા છે. જેના લીધે વાહનચાલકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવ્યો છે.

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, હાથીજણના લાલ ગેબી સર્કલ પાસે તંત્ર દ્વારા ડામરનો રોડ અને આરસીસીનો રોડ બનાવ્યો છે. હવે મેઈન રોડ મોટો કરવા માટે બાજુમાં માટીના ઢગલા કરવા માંડ્યા છે. એટલે અડધો સર્વિસ રોડ માટીથી મોટો કરવામાં આવ્યો છે. હવે વરસાદની સીઝન ચાલુ થઈ રહી છે. તો પછી રોડની હાલત શું થશે ? બીજી વાત કરીએ તો બાજુમાં વરસાદી પાણી નિકાલ કરવા માટે ગટર પણ નથી હવે આખા ચોમાસામાં શું હાલત થશે એ જોવાનું રહ્યું.

જો કે રોડ બનાવવા માટે બાજુના લાઈટના થાંભલા કાઢી નાંખ્યા હોવાના લીધે ત્યાં અંધારપટ કરી નાખ્યું છે.

એટલે હાથીજણના લાલગેબી સર્કલ પાસે એક સાંધો ત્યાં તેર તુટી જેવી સ્થિતિ નિર્માણ પામી છે. જેના લીધે વાહનચાલકો અને રાહદારીઓને અવરજવર કરવામાં હાલાકી ભોગવવી પડી રહી છે. હવે રોડની બાજુમાં કરાયેલા માટીના ઢગલા વહેલી તકે હટાવી લેવામાં આવે તેવી લોકો માગ કરી રહ્યા છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન