ઉત્તર ઝોનમાં જાહેરમાં ગંદકી બદલ 299 એકમને નોટિસ

1.2 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત, 2 એકમ સીલ

શહેરના પૂર્વ વિસ્તારમાં વારંવાર જાહેરમાં ગંદકી અને કચરો નાંખનારા લોકો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. તેમ છતા લોકો સુધરવાનું નામ લેતા નથી. એટલે મ્યુનિ દ્વારા ગંદકી કરનારા લોકો સામે કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાઈ છે. જેમાં શહેરના ઉત્તર ઝોનના નરોડા, સૈજપુર, નરોડા, સરદારનગર સહિતના વિસ્તારમાં જાહેરમાં ગંદકી કરનારા અને પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવા મામલે મ્યુનિ દ્વારા 299 એકમને નોટીસ ફટકારાઈ હતી. જ્યારે 2 એકમ સીલ કરાયા હતા.

મ્યુનિ.ના ઉત્તર ઝોનના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ દ્વારા ઝોનના તમામ વોર્ડમાં જાહેર માર્ગ પર ન્યુસન્સ કરતા ધંધાકિય એકમો અને પાનના ગલ્લા-ચાની કિટલીઓ ઉપર પેપર કપનો ઉપયોગ કરતા, પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ,વેચાણ, સંગ્રહ અને ઉત્પાદન કરતા અને ધંધાકિય એકમમાં ડસ્ટબીન રાખતા ન હોય. તેમજ જાહેરમાં ગંદકી કરતા ધંધાકિય એકમો સામે કાર્યવાહી કરાઈ હતી. જેમાં 1.2 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરાયો હતો. જ્યારે રોડ પર કચરો નાંખવા અને ગંદકી કરવા બદલ 2 એકમને સીલ કરાયા હતા. ઉપરાંત 299 એકમને નોટીસ આપીને કુલ રૂ.67,200 દંડની વસૂલાત કરવામાં આવી હતી. શહેરીજનોના સ્વાસ્થ્ય અને આરોગ્ય સાથે ચેંડા કરતા એકમો સામે મ્યુનિ. દ્વારા કડક કાર્યવાહીની ઝુંબેશ હાથ ધરાશે.જેમાં ધંધાકિય એકમો સામે કાર્યવાહી કરાશે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન