વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત

દુર્ગંધથી લોકોને ઘરના બારીબારણાં બંધ કરવાની ફરજ પડી

વસ્ત્રાલના માઘવ ગાર્ડન પાસે થોડા મહિનાઓ પહેલા તૈયાર કરાયેલા આરસીસી આઈકોનિક રોડ પર ગટરો ઉભરાવવાની સમસ્યાને પગલે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આ સમસ્યાને પગલે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાતાં ઘરોના બારી બારણા બંધ રાખવાની ફરજ પડી છે. આ ઉપરાંત ગાર્ડનના દરવાજા પાસે પણ ગંદા પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થતાં મુલાકાતીઓને ક્યારેક ગંદા પાણીમાંથી પસાર થવાનો પણ વારો આવી રહ્યો હોવાની ફરિયાદો ઉઠી છે.

આ અંગે સ્થાનિકે જણાવ્યું કે, છેલ્લાં કેટલાક દિવસૌથી આ નવા માર્ગ પર ગટરો ઉભરાવવાની સમસ્યા વકરી છે, જેને પગલે અતિશય દુર્ગંધ ફેલાતાં આ માર્ગથી પસાર થવામાં પણ હાલાકી પડી રહી છે. આ ઉપરાંત આ ગાર્ડનમાં આવતાં લોકોને પણ દુર્ગંધને પગલે મોઢે રૂમાલ બાંધીને ગાર્ડનમાં જવું પડી રહ્યુ છે.

આ સમસ્યા વધ્યા બાદ પણ તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવતા ન હોવાની પણ ફરિયાદો કરી રહ્યા છે. ગંદા પાણી રસ્તા પર ભરાઈ રહેવાને પગલે મચ્છરોનો ઉપદ્રવ વધવાનો પણ સ્થાનિકોમાં જોવા મળી રહ્યો છે. અતિશય દુર્ગંધને પગલે આસપાસ વસવાટ કરતાં લોકોને ઘરોના બારી બારણાં પણ બંધ રાખવાની ફરજ પડી છે. વહેલી સવારથી જ ગટરના ગંદા ઉભરાવવાની સમસ્યાને પગલે મોર્નિંગ વોક માટે નીકળતાં લોકોને દુર્ગંધ વચ્ચે પસાર થવાનો પણ વારો આવ્યો છે

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન