નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો

મિત્રને આપેલાં નાણાં પરત માગતાં ચાર શખ્સો સાથે મળીને માર્યો

યુવકની હુમલાખોરો સામે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

શહેરના નારોલમાં યુવકે તેના મિત્રને ઉછીના રૂ.10 હજાર આપ્યા હતા. તેને ઘણા મહિના થઈ ગયા હોવાથી યુવકે તેના મિત્ર પાસે ઉછીના નાણા પરત માંગ્યા હતા. એટલે મિત્રએ અન્ય ત્રણ લોકોને બોલાવીને યુવક પર લોખંડની પાઈપથી હુમલો કરતા તેને ઈજા થઈ હતી. એટલે આ મામલે યુવકે નારોલ પોલીસમાં હુમલો કરનારા ચાર લોકો સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ આદરી છે.

નારોલમાં ગાયત્રીનગર સોસાયટીમાં રહેતા જય કિશન ઉર્ફે જયદીપ તિવારી (ઉ.31) વટવામાં કલરની કંપનીમાં નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા મહિના અગાઉ તેણે મિત્રને ટુકડે-ટુકડે હાથ ઉછીના રૂ. 10 હજાર આપ્યા હતા.

બાદમાં જયારે પણ રૂપિયા માંગતો ત્યારે મિત્ર જુદા-જુદા બહાના બતાવતો હતો. રવિવારે જયકિશને તેના મિત્રને રૂપિયા ચૂકવી દેવા માટે ફોન કરતા સાંજે મળજે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ જયકિશન રાતે રાતે જમીને નક્કી કરેલી જગ્યા ગંગોત્રીનગર પાસે રૂપિયા લેવા મિત્રને મળવા માટે પહોંચી ગયો હતો. તેણે રૂપિયા માંગતા મિત્રે રૂપિયા આપવાથી સ્પષ્ટ ઇનકાર કરીદીધો હતો.

જેથી જયકિશને તેના મિત્રને કહ્યું કે જો તું રૂપિયા નહી આપે તો મારે તારા પિતાજીને આ મામલે જાણ કરવી પડશે આટલું બોલતાની સાથે જ આરોપી અને તેની સાથે આવેલા ચાર લોકો યુવકને મારવા લાગ્યા અને લોખંડની પાઈપથી હિચકારો હુમલો કરી દીધો હતો.

વધુ મારથી બચવા માટે જયકિશન તેની સોસાયટીમાં જતો રહેતા ચારેય આરોપી નાસી ગયા હતા. આ મામલે જયકિશને નારોલ પોલીસ સ્ટેશનમાં મારુતિ રંગરાવ મરાઠી, દિનેશ ઉર્ફે ધનીયા રંગરાવ મરાઠી ગુરુ રાજપૂત, મચ્છી વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી