લાંભા વોર્ડમાં ડ્રેનેજ, પાણીની લાઈનનું નેટવર્ક નાખવા રૂ.4.23 કરોડ ખર્ચાશે

વારંવાર ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાથી નાગરિકો હેરાન થઈ ગયા હતા

શાહવાડી, લાંભા, સૈજપુર અને પીપળજ ગામને પાયાની સુવિધા મળશે

શહેરના છેવાડામાં આવેલા લાંભા વોર્ડમાં વારંવાર ડ્રેનેજ અને ગટર ઉભરાવાની સમસ્યાથી નાગરિકોને હેરાનગતિ ભોગવવાનો વારો આવી રહ્યો છે. ત્યારે લાંભા વોર્ડના ચાર ગામમાં રૂ.4.23 કરોડના ખર્ચે પાણી અને ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નાંખવા માટે બજેટ ફાળવાયું છે. જેના લીધે આ વિસ્તારોમાં વારંવાર ઉભરાતી ગટર અને પાણીની સમસ્યાના ઉકેલ આવશે.

મ્યુનિ.કોર્પોરેશનના સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ લાંભા વોર્ડના ચાર ગામમાં ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નાંખવા માટે રૂ.1.51 કરોડ અને પાણીની લાઈનનું નેટવર્ક નાંખવા રૂ.2.72 કરોડનો ખર્ચ કરવા બજેટ ફાળવ્યું છે. મ્યુનિના ઝીરો બજેટમાંથી ફાળવેલા બજેટમાં લાંભા વોર્ડમાં ડ્રેનેજ લાઈનના નેટવર્ક નાંખવા માટે શાહવાડી ગામ માટે રૂ.50 લાખ, લાંભા ગામ માટે રૂ.42 લાખ, સૈજપુર ગામ માટે રૂ.24 લાખ અને પીપળજ ગામ માટેરૂ.35 લાખ બજેટ ફાળવ્યું હતું. પાણીની લાઈનનું નેટવર્ક નાંખવા માટે શાહવાડી ગામમાં રૂ.92 લાખ, લાંભા ગામમાં રૂ.50 લાખ. સૈજપુર ગામમાં રૂ.60 લાખ અને પીપળજ ગામમાં રૂ.70 લાખનો ખર્ચ કરાશે.

લાંભા ગામ તળાવ ઉભરાતા પાણી ભરાવાની સમસ્યા ઉકેલાશે

લાંભા ગામ તળાવનો રૂ.5 કરોડના ખર્ચે વિકાસ કરાયો હતો, પરંતુ તળાવમાં પાણીની આવક સામે તેની જાવક કરવા યોગ્ય વ્યવસ્થા કરાઈ હતી. એટલે તળાવના પાણી ઉભરાઈને રોડ પર ભરાતા હતા. ત્યારે ડ્રેનેજ લાઈનનું યોગ્ય નેટવર્કના અભાવે ગામમાં પાણી ભરાયેલા રહેતા હોવાની ફરિયાદ ઉઠી હતી. હવે લાંભા ગામમાં ડ્રેનેજ લાઈનનું નેટવર્ક નંખાશે તો આ સમસ્યાનો ઉકેલ આવી જશે. જ્યારે તળાવના પાણી ઉભરાવાની સમસ્યાનો ઉકેલ લાવવા પણ લોકો માંગણી કરી રહ્યા છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી