નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

મહિલાઓના ટોળાં મ્યુનિ કચેરીમાં દરરોજ રજૂઆતો કરે તેમ છતાં કોઈ કામગીરી કરાતી નથી

શહેરના લાંભા વિસ્તારમાં મ્યુનિ. ના નવાણા પંપિંગ સ્ટેશનમાં નિયત પંપોમાંથી ઘણાં પંપો ચાલુ કરાતા જ નથી. જેના લીધે લાંભા અને વટવા વોર્ડમાં વરસાદી પાણી ઓસરતા ન હોવાની અને ગટરો બેક મારતી હોવાની સમસ્યાનો લોકો સામનો કરી રહ્યા છે. આશરે બંને વોર્ડના મળીને 7 હજાર જેટલા મકાનમાં ગટરો બેક મારતી હોવાથી રહીશો હેરાન-પરેશાન થઈ ગયા છે. જેના લીધે મહિલાઓના ટોળેટોળા દરરરોજ મ્યુનિ. કચેરીના ધક્કા ખાય છે. પરંતુ કોઈ જવાબ ન મળતા નિરાશ થઈને પરત જાય છે. એટલે સમસ્યાનો ઉકેલ આવતો ન હોવાથી લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે.

મ્યુનિ. દ્વારા પંપિંગ સ્ટેશનની સમસ્યાનો ઉકેલ ન લાવતા લોકોને હેરાન થવાનો વારો આવ્યો

આ અંગે સ્થાનિકોના જણાવ્યા મુજબ, લાંભા વોર્ડમાં કેનાલ પાસે આવેલા નવાણા પંપિંગ સ્ટેશનમાં છેલ્લા કેટલાય સમયથી પંપો યોગ્ય રીતે ચલાવાતા ન હોવાનો આક્ષેપ સ્થાનિક કોર્પોરેટર અને નાગરિકો કરી રહ્યા છે.

પંપો ચાલુ કરાતા ન હોવાના લીધે વટવામાં કેનાલ પાસેના વિસ્તારમાં અલીફ નગર આશિયાના પાર્ક, હિના પાર્ક, વટવા સૈયદવાડી વિસ્તાર, બીબી તળાવ આસપાસનો વિસ્તાર, રોહિતવાસ, ગણેશ મંદિર સહિતના વિસ્તારોમાં ગટરો ઉભરાવાની સમસ્યા સર્જાય છે. જ્યારે લાંભા વોર્ડમાં નારોલ ગામથી ભમ્મરિયા કુવાસુધીનો વિસ્તાર સહિતના વિવિધ વિસ્તારોમાં ગટરો બેક મારી રહી છે. એટલે વટવા અને લાંભા વોર્ડના આશરે 7 હજાર જેટલા મકાનોમાં ગટરો બેક મારતી હોવાની અને ગંદા પાણી ઘરોમાં ભરાતા હોવાની સમસ્યા સર્જાય છે.

અધિકારીઓ હદનો મામલો ધરી ખો આપે છેઃ કોર્પોરેટર

સ્થાનિક કોર્પોરેટર કાળુ ભરવાડે જણાવ્યું હતું કે, નવાણા પંપિંગ સ્ટેશનના પંપો ચાલુ કરતા ન હોવાથી વટવા અને લાંભા વોર્ડના 7 હજાર મકાનમાં ગટરો બેક મારે છે. ઉપરાંત વરસાદી પાણી પણ ઓસરતા નથી. દરરોજ 300 મહિલાઓ મારી પાસે રજૂઆત કરવા આવે તેમને હાથપગ જોડીને સમજાવીને પાછા મોકલુ છું. અધિકારીઓને રજૂઆત કરુ તો વટવા અને લાંભા વોર્ડની હદનો મામલો આગળ ધરીને મને ખો આપે છે. પંરતુ કામગીરી કરતા નથી.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી