નારોલમાં હત્યાને અકસ્માતમાં ખપાવવાના પ્રયાસમાં બેની ધરપકડ

નશામાં મૃતકે ઝઘડો કરતા તેની હત્યા કરી લાશને રોડ પર ફેંકી

પોલીસે પીએમ કરાવતાં ઈજાના નિશાન જણાતા પર્દાફાશ થયો

નારોલ ગાયત્રીનગર પાસે અકસ્માતના નામે હત્યાનો ખૂની ખેલનો ભેદ ટ્રાફિક પોલીસ તપાસ ઉકેલીને આરોપી રાજુસુમગ અને ઇશ્વરસિંગ સિસોદીયાના ધરપકડ કરી છે. અને સમગ્ર કેસની આગળની તપાસ માટે નારોલ પોલીસને સુપ્રરત કરાઈ છે. આ કેસની આગળની વધુ તપાસ નારોલ પોલીસે હાથ ધરી છે.

બનાવની વિગત એવી છે કે નારોલ વિસ્તારના ગાયત્રીનગર રોડ પર 19 માર્ચના રોજ એક યુવકની લાશ પડી હતી. આ અંગે કંન્ટ્રોલ મેસેજ દ્વારા ટ્રાફિક પોલીસને જાણ થઈ હતી. આથી ટ્રાફિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. અને યુવકનુ અકસ્માતમાં મોત નિપજ્યું હોવાનું સમજી અકસ્તામ મોતનો ગુનો નોંધ્યો હતો. ટ્રાફિક પોલીસે મૃતક યુવકની લાશને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

બીજીબાજુ પીએમ રિપોર્ટમાં મૃતક યુવકના શરીર પર ફેકચર અને ઘા ના નિશાન મળી આવ્યા હતાં. આથી ટ્રાફિક પોલીસે બનાવના સ્થળના સીસીટીવી ફુટેજ તપાસ્યા હતાં. પરંતુ યુવકની લાશ પડી હતી ત્યાંથી કોઈ વાહન પસાર થયુ હોય તેવું જણાઈ આવ્યું નહતું. ટ્રાફિકડીસીપી સફીન હસને જણાવ્યું હતું કે, ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરીને શંકા જતા મૃતકના પરિચિત લોકોની પૂછપરછ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન શંકમદ આરોપી રાજુસિંગ અને ઇશ્વરસિંગ સિસોદીયાએ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી. મૃતક 40 વર્ષીય પરપ્રાંતીય ભગીરા છે. અને તે વાસણ ધોવાનું કામ કરી પોતાનું ગુજરાન ચલાવતો હતો. 19 માર્ચે મૃતકે નશો કર્યો હતો. અને આરોપીઓને બિભત્સગાળો બોલી ઝગડો કર્યો હતો. જેની અદાવત રાખીને આરોપીઓએ મૃતકને છરીના ઘા મારી ફેંકી દીધો હતો અને હત્યાને અક્સમાતમા ખપાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમનો ભાંડો ફુટી ગયો હતો. પોલીસે હત્યા કરનારા બે આરોપીની ધરપકડ કરી હતી.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી