વસ્ત્રાલમાં આતંક મચાવવાના કેસમાં વધુ બે ની ધરપકડ

ઘટનાનો મુખ્ય સૂત્રધાર પંકજ ભાવસાર વોન્ટેડ

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં હોળીની રાતે તલવારો પાઈપો લઈને સમગ્ર વિસ્તારને બાનમાં લેવાના બનાવમાં પોલીસે સગીર સહિત 14 આરોપીઓની ધરપકડ કરી છ આરોપીઓના મકાન તોડી પાડી તેમને સબક શીખડવાવ્યો હતો.આ મામલે વધુ બે ની ધરપકડ સાથે આંક 16 ઉપર પહોચ્યો છે. જો કે હજુ સુધી આ સમગ્ર ઘટનાની પાછળ જવાબદાર મુખ્ય આરોપી પંકજ ભાવસાર પોલીસની પકડથી દુર છે.

વસ્ત્રાલમાં પકોડીની લારી ઉભી રાખવા માટે પંકજ ભાવસાર અને સંગ્રામસિંગ સિકરવાર વચ્ચે ચાલતી ગેંગવોરમાં હોળીની રાતે વસ્ત્રાલ મહાદેવ ઈમ્પીરીયલ પાસે સંગ્રામસિંગ બેઠો હોવાની બાતમી મળતા પંકજ ભાવસાર અને તેની ગેંગના સભ્યો વાહનો લઈ તલવારો અને પાઈપો લઈને નીકળ્યા હતા. જો કે સંગ્રામસિંગને માહિતી મળી જતા તે ત્યાંથી નાસી છુટયો હતો. આ તરફ સંગ્રામસિંગ નહી મળતા ઉશ્કેરાયેલા ટોળાએ નજીક પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ કરી હતી. દરમિયાન સોમવારે પોલીસે આ કેસમાં વધુ બે આરોપીઓ શિવકુમાર ભાવસાર(ઉ.19,રહે.લાંભા) અને રવિ અજયભાઈ તિવારી (ઉ.28,રહે, ખોડીયાર પાર્ક રામોલ) ની ધરપકડ કરી છે.

  • Related Posts

    શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    શાહીબાગમાં 18 વર્ષીય યુવકે કોઈ કારણોસર પોતના ઘરે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.શાહીબાગ પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં કડીયાની ચાલીમાં રહેતા પાર્થ ગોપાલભાઈ પટણી(ઉ.18)એ કોઈ…

    ખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ

    કાયદેસરના મકાનની બાજુમાં ગેરકાયદે મકાન બનાવી દસ્તાવેજ આપ્યો હતો ખોખરામાં રહેતા વેપારીએ તેમના નજીકમાં રહેતા બે ભાઈઓનુ મકાન ખરીદવા માટે રૂ.27 લાખ બોનાપેટે આપ્યા હતા. આ દરમિયાન તેમને જાણ થઈ…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શાહીબાગમાં યુવકે ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી

    ખોખરામાં ગેરકાયદેસર મકાન વેચાણ કરી 27 લાખ પરત ન આપતા બે સામે ફરિયાદ

    દાણીલીમડામાં પીણાંની ડીલરશિપ આપવાના નામે 2.50 લાખની ઠગાઈ

    હાંસોલમાં અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગાઈ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

    અમરાઈવાડીમાં સગીરાનું નકલી આઈડી બનાવનાર સામે ફરિયાદ

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ