વટવાના અર્બન સેન્ટરના આંગણે ગંદકીના લીધે દર્દીઓ વધારે બીમાર થવાની આશંકા

દવા લેવા ગંદા પાણીમાં અવર જવાર કરવા દર્દીઓ મજબૂર, પાણીનો નિકાલ ક્યારે થશે?

તંત્રે સેન્ટરને આરોગ્ય મંદિરનું રૂપકડું નામ આપ્યું પણ જાળવણી કરવામાં કોઈ રસ નથી

વટવામાં સદભાવના ચોકી નજીક રેલવે ઓવરબ્રિજ પાસે અર્બન હેલ્થ સેન્ટરને મ્યુનિ.એ આરોગ્ય મંદિરનું સુંદર નામ તો આપી દીધું છે. પરંતુ મંદિરની જેમ તેની જાળવણી કરવામાં મ્યુનિ.ને કોઈ રસ જ નથી. એટલે આ અર્બન હેલ્થ સેન્ટરના દ્વારે ગંદા પાણી ભરાયેલા છે. એટલે ગંદકીના લીધે મચ્છરોનો ઉપદ્રવના લીધે આરોગ્ય મંદિરના દ્વારે જ ગંદકીના ગંજથી ત્યાં દવા લેવા

આવતા લોકો સાજા થવાના બદલે વધારે બીમાર પડી રહ્યા હોવાની ફરિયાદ ઉઠવા પામી છે. આ અંગે સ્થાનિક શ્યામભાઈએ જણાવ્યું હતું કે, ચાર માળિયામાં ગટરો ઉભરાતા ગંદકીના લીધે લોકો બિમાર પડી રહ્યા છે. આ બિમારીમાં લોકો દવા લેવા માટે અર્બન હેલ્થ સેન્ટરમાં જાય છે. પરંતુ ત્યાં ગેટની પાસે જ ગટરના પાણી ભરાઈ ગયેલા છે. એટલે ત્યાં દવા લેવા આવતા દર્દીઓને હેરાન થવાનો વારો આવે છે.

  • Related Posts

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    ગાયત્રી એબ્રેસિવે 37 કરોડનો માલ બિલ વગર વેચ્યો 4 વર્ષથી કરચોરી થતી હતી, ભાગીદારની ધરપકડ શહેરની ગાયત્રી એબ્રેસિવ નામની ભાગીદારી પેઢીની 7.07 કરોડની કરચોરી પકડાઈ છે. સીજીએસટીના અમદાવાદ નોર્થ કમિશનરેટે…

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    શહેરની પેઢીએ બિલ વગર માલ વેચી રૂ.7 કરોડની ટેક્સચોરી કરી

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો

    જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

    નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો