વટવા ગામમાં ગટરના પાણી રોડ પર ભરાયાં

વટવા ગામમાં આવેલા વણકરવાસ પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોની ચિંતા કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એટલે ગટરના પાણી ભરાયેલા હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. આ અંગે સ્થાનિક પ્રવિણ પરમારે જણાવ્યું હતું કે, મ્યુનિ.ના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા ગામના શનાભાઈ |નગર વણકરવાસ ગણેશ મંદિર પાસે છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જાહેર રોડ પર ગંદા પાણી ભરાઈ રહેતા તેની તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

ઉપરાંત ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ એટલી હદે વધી ગયો છે કે લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. એટલે આ મામલે સ્થાનિકો મ્યુનિ. માં ઓનલાઈન ફરિયાદ કરે છે. તો

સમસ્યાના ઉકેલ વિના જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. એટલે આ રીતે વારંવાર લોકો ઓનલાઈન ફરિયાદ કરે પરંતુ ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપતું નથી.

  • Related Posts

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો