વટવામાં રહેતી પરિણીતાની ફરિયાદ મુજબ તેના લગ્ન ગાંધીનગરમાં રહેતા સરકારી નોકરી કરતા તેના સમાજના યુવક સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ પતિ સાસુ અને નણંદે ત્રાસ આપતા અગાઉ પોલીસ ફરિયાદ કરી હતી જો કે સમાધાન થઈ જતા ફરી સાસરિયે જતા મહિલાને તેની સાસુ દહેજ મામલે મેણા મારતા હતા. પતિને કહે તો પતિ તેની માતાનુ ઉપરાણુ લઈને માર મારતો હતો. દરમિયાન તેને ઘરમાંથી કાઢી મુકતા મહિલાએ કંટાળીને પતિ અને સાસરીયા સામે ફરિયાદ નોંધાવી છે.
પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત
નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધોની જાણ…