વટવામાં એરકુલર રીપેરીંગ કરતા ઈલેક્ટ્રિશિયન યુવકને કરંટ લાગતા સારવાર મળે તે પહેલા જ તેનુ મોત નિપજયુ હતુ.
નારોમલાં વેદિકા એપાર્ટમેન્ટમાં રહેતા વિનય મદનલાલ (ઉ.30) ઈલેકટ્રીશીયન તરીકે કામ કરી ગુજરાન ચલાવે છે. ગત રવિવારે સવારના સમયે તેઓ ઘોડાસર વનદેવી રો હાઉસમાં એરકુલર રીપેર કરવા માટે ગયા હતા. જયાં એરકુલર રીપેર કરવા જતા અકસ્માતે તેમને વીજકરંટ લાગતા તેમનુ સારવાર મળે તે પહેલા જ મોત નિપજયુ હતુ. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.