નાગરિકો સ્ટેટ મોનિટરિંગ સેલમાં સીધી જ ફરિયાદ નોંધાવી શકશે

રાજ્યના તમામ સીપી અને એસપીને ગૃહ વિભાગની બીજી ફટકાર

SMC પોલીસ સ્ટેશનની જેમ કામ કરશે, ન્યાય ક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે

ગુજરાત સરકારના ગૃહ વિભાગે ગુરુવારે એક પરિપત્ર કરીને રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલની સત્તામાં વધારો કરતો હુકમ કર્યો છે. આ પરિપત્ર અનુસાર એસએમસી સ્વયં પોલીસ સ્ટેશનની તર્જ પર કામ કરશે અને નાગરિકો પોતાની ફરિયાદ ઓનલાઈન કે રૂબરૂ નોંધાવી શકશે. એસએમસીના પોલીસ સ્ટેશનનું ન્યાયક્ષેત્ર સમગ્ર ગુજરાત રહેશે એટલે કે ગુજરાતના કોઈ પણ ખૂણે વસતો નાગરિક જો સંબંધિત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા ન ઈચ્છે તો તે એસએમસીમાં ફરિયાદ નોંધાવી શકશે.

ગુજરાત સરકારે એક સપ્તાહમાં જ રાજ્યના તમામ શહેર પોલીસ કમિશનર અને જિલ્લા પોલીસ વડાઓને બીજી ફટકાર લગાવી છે. અગાઉ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે તમામ પોલીસ કમિશનરો અને જિલ્લા પોલીસ વડાઓને પત્ર લખીને તાકીદ કરી હતી કે, નાગરિકો ફરિયાદ નોંધાવવા આવે ત્યારે એફઆઈઆર નોંધવામાં દુર્લક્ષ સેવવું નહીં. પોતાના વિસ્તારમાં ક્રાઈમ રેટ નીચો દેખાડવા માટે પોલીસ એફઆઈઆર લેવાને બદલે માત્ર અરજી કે જાણવા જોગ ફરિયાદ લઈ લેતી હતી. જેને કારણે આવી ફરિયાદોનો નિવેડો લાવી

એસએમસીની સત્તા વધતા અને તેઓ એફઆઈઆર લેવા સક્ષમ બનતા તેઓ ગુનાના તળ સુધી પહોંચી તપાસ કરી શકશે અને કોઈ પણ વગદાર વ્યક્તિ વિરુદ્ધ પગલાં પણ ભરી શકશે. સ્થાનિક પોલીસ અધિકારીઓ ગુનાની તપાસમાં લીપાપોતી કરતા હતા તે અટકશે. અત્યાર સુધી એસએમસી જે તે સ્થળે દરોડા પાડી તેનાં ગુનાની ફરિયાદ સ્થાનિક પોલીસ તંત્રને નોંધવા ભલામણ કરતી હતી. આથી ફરિયાદ નોંધાયા બાદ સ્થાનિક પોલીસ તપાસમાં ઢીલ રાખે તેવું પણ બનતું હતું. આ ઉપરાંત એસએમસી પોતે કરેલી રેઈડની માહિતી રાજ્ય પોલીસ વડાને મોકલી આપતી હતી પણ તેના પર પણ પગલાં લેવાતા ન હતા.શકાતો ન હતો.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર