નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની ધરપકડ

નરોડામાં વેપારીને આંતરી ઓનલાઈન રૂપિયા લેવા ફોન પડાવી લેનારા નકલી પોલીસની નરોડા પોલીસે ધરપકડ કરી છે.

સૈજપુરમાં રહેતા મનોજભાઈ પટેલ બાપુનગરમાં મશીનના વાયરનો વ્યવ્સાય કરે છે. ગત તા 18 મીએ બપોરના સમયે તેઓ એણાસણ ગામે તેમના પિતાને મળવા માટે જતા હતા.

ત્યારે નરોડા બેઠક પાસે એક અજાણ્યા બાઈચાલકે તેમને આંતરીને ક્રાઈમબ્રાંચમાં છુ કહીને આઈકાર્ડ બતાવી ખિસ્સામાં મુકી દીધુ હતુ. ત્યારબાદ દારૂ લઈને જાય છે કહીને બેગ જોવા લીધી હતી જો કે બેગમાં કશુ નહી મળતા બાઈકના પુરાવા માગ્યા હતા જો કે વીમો અને પીયુસી નહોઈ બાઈક જમા નહી કરવાનુ કહીને રૂ. 5 હજાર માંગ્યા હતા.

જો કે મનોજભાઈએ પૈસા નહોવાનુ કહેતા તેમને ધમકી આપીને નજીક આવેલા એટીએમમાં જઈને રૂપિયા કાઢી આપવા દબાણ કર્યું હતુ. એટીએમ પાસે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. ત્યારબાદ મનોજભાઈને આજીવન કેદની સજામાં ફસાવી દેવાનુ કહીને બચવુ હોય તો ફોન આપી તારો ઓનલાઈન પાસવર્ડ આપી દે કહીને તેમનો ફોન પડાવી લીધો હતો.

આ મામલે મનોજભાઈએ સીમ બ્લોક કરાવીને નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી મૌલિક ઉર્ફે ટીકો ભૂપેન્દ્રભાઈ ઉર્ફે ભૂપત કંસારા (ઉ.42 રહે ગતરાડની પોળ, માણેકચોક ખાડીયા)ની ધરપકડ કરી હતી. આરોપી નકલી પોલીસ બનીએ ઘણા લોકોની પાસેથી પૈસા પડાવી ચુક્યો હોવાનુ તપાસમાં ખુલ્યુ છે. તેની સામે ખાડીયા, મણિનગર, સહિત સાત ગુના નોંધાયા છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી