રામોલમાં બીમારીની વિધિના બહાને ભૂવાએ 5.90 લાખના દાગીના પડાવ્યા

બારી પર બાંધેલી દાગીનાની પોટલી પડતા પથ્થર, લીંબુ નીકળ્યાં

વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસોશ્વાસ અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોઈ ગોતામાં રહેતા ભૂવાના ચકકરમાં ફસાયા હતા. ભૂવાએ વિધિ કરવાના બહાને પરિવારને ડરાવીને રૂ. 5.90 લાખના દાગીના પડાવી લેતા અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે ફરિયાદ નોંધાવાઈ છે.

વસ્ત્રાલમાં રહેતા નંદલાલ પટેલ રામોલમાં પ્લાસ્ટિકની ફેકટરી ધરાવી વેપાર કરે છે. તેમની મોટી દીકરીને શ્વાસ લેવામાં તેમજ પેટમાં દુખાવાની તકલીફ હોઈ દવા કરાવવા છતાં કોઈ ફરક પડતો નહતો. આ સ્થિતિમાં તેમના જમાઈના મિત્રએ ગોતા વંદેમાતરમ પ્રાઈમમાં રહેતા ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીનુ નામ આપતા પરિવાર ભૂવાનાં સંપર્કમાં આવ્યો હતો. ભૂવાએ એપ્રિલ મહિનામાં નંદલાલભાઈના ઘરે તેમની દીકરીની સાસરીમાં વિધિ કરવાના નામે સોનાના દાગીનાની પોટલીઓ બંધાવીને રૂમના દરવાજે જામીન તરીકે બંધાવી હતી.

ત્યારબાદ બંને પોટલીઓ લઈ ભૂવાએ ચાંદલોડીયા તળાવ પાસે સ્મશાનમાં વિધિ કરવા માટે બોલાવ્યા હતા.વિધિનો ઢોંગ કર્યા બાદ રૂ. 5.90 લાખના દાગીના ભરેલી પોટલીઓ પાછી આપીને બારી પર પોટલીઓ બાંધીને ખુલી જશે તો દુખ વધી જશે તેવી બીક બતાવી હતી. તેમજ 37 દિવસ બાદ મને ફોન કરીને પોટલીઓ ખોલજો તેમકહ્યું હતુ. આ તરફ પરિવારે બીકના માર્યા પોટલીઓ ખોલી નહતી. પરંતુ અચાનક પોટલીઓ નીચે પડતી જતા તેમાંથી પથ્થરો અને લીંબુ નીકળતા જમાઈએ સસરાને ફોન કરીને જાણ કરતા ભૂવાને ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. દરમિયાન ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીની માંડલ પોલીસે ધરપકડ કરી હોવાની જાણ થઈ હતી. આ મામલે નંદલાલ પટેલે ભૂવા સામે રૂ. 5.90 લાખના દાગીના પડાવી છેતરપીંડી કર્યાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ભૂવા સામે ઘાટલોડીયા પોલીસમાં પણ ફરિયાદ થઈ હતી

ઘાટલોડીયામાં રહેતા હસમુખભાઈ પટેલની પુત્રવધૂને આ જ રીતે શ્વાસ લેવામાં અને પેટમાં દુખાવાની તકલીફ હોઈ આ પરિવાર પણ ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીની ચુંગાલમાં ફસાયો હતો. આ જ રીતે દાગીનાની પોટલીઓ વાળીને ભૂવાએ ખોલવાની ના પાડીને કુલ રૂ. 13.62 લાખના દાગીના પડાવી લીધા હતા આ મામલે તાજેતરમા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે

  • Related Posts

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    થાણેથી ડિલિવરી આપવા આવી હોવાની શંકા સરદારનગરમાં પોલીસે એક મહિલાને બિચરના 24 ટીન સાથે ઝડપી પાડી હતી. આ મામલે પોલીસે પ્રોહીબીશનનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. સરદારનગર…

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં દિવાનો બાદ સાગમટે બદલીનો આદેશ કરવામાં આવ્યો છે. શહેર પોલીસ કમિશનર દ્વારા બિન હથિયારધારી 83 PSIની એક સાથે આંતરિક બદલીનો આદેશ આપ્યો છે.અમદાવાદ શહેર પોલીસ તંત્રમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    સરદારનગરમાં બિયરના જથ્થા સાથે મહિલાની ધરપકડ

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    શહેર પોલીસમાં ફરજ બજાવતા 83 PSI ની બદલી, અન્ય જિલ્લામાંથી આવેલા 18 PSIને પોસ્ટિંગ અપાયું

    અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે

    અમિત શાહ દિવાળી કરવા ઘરે આવ્યા, 5 દિવસ રોકાશે

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ