જિલ્લા કક્ષાનાં કલામહાકૂંભ-૨૫ માં શિશુવિહાર ખાતે ગૌરવ પુરસ્કૃત કુશલ દીક્ષિતનુ ભવ્ય સન્માન

તારીખ ૧૬-૧-૨૦૨૫ ને ગુરૂવારના રોજ ભાવનગર જિલ્લા કક્ષાના કલામહાકુંભના ઉદ્ઘાટન સમારોહમાં રમત ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક કચેરી દ્વારા આયોજિત કલા મહાકુંભમાં વર્ષ ૨૦૨૩ના એક જ વર્ષમાં લોકકલામાં રાષ્ટ્રીય બિસ્મિલ્લાખાન યુવા પુરસ્કાર અને ગુજરાત સંગીત નાટક અકાદમી દ્વારા ગુજરાત ગૌરવ પુરસ્કાર મેળવીને ભાવેણાનું ગૌરવ વધારવા બદલ કુશલ દીક્ષિતનું સમારોહના અધ્યક્ષ પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પટેલ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યુ.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જેણે ગૌરવ પુરસ્કાર પ્રાપ્ત કરેલ એવા નીતિનભાઈ દવે, અમુલભાઈ પરમાર, રઘુવીરભાઈ કુંચાલા અને ડૉ. નીપા ઠક્કરને પણ સન્માનપત્રથી સન્માનિત કરાયા હતા. જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમારે સૌનું શાબ્દિક સ્વાગત કરેલ જેમાં શ્રી ગોહિલ સાહેબ‚ શિશુવિહારના પ્રમુખ હીનાબેન ઓઝા, વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે મિતુલ રાવલે પોતાની લાક્ષણિક શૈલીમાં સમગ્ર કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. રાસ- ગરબા સ્પર્ધાની નિર્ણાયક પેનલમાં કુશલ દીક્ષિત, નીતિનભાઈ દવે, અમુલભાઈ પરમાર સુરેશભાઈ વગેરેએ સેવા આપી હતી સૌ સ્પર્ધકોએ પોતપોતાની આગવી કલા પીરસી સ્પર્ધામાં રંગ જમાવ્યો હતો

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન