ઓઢવમાં પેર્ટીએમનું સ્પીકર રિપેરિંગ કરવાના બહાને 99 હજારની ઠગાઈ

વેપારીએ બે અજાણ્યા પુરુષો સામે ત્રણ મહિના બાદ ફરિયાદ કરી

ઓઢવમાં પોપ્યુલર પાર્કમાં રહેતા દરજારામ ચૌધરી (ઉ,47)સોસાયટીના નજીક જ કરિયાણાની દુકાન ધરાવે છે. ગત ડિસેમ્બર, 2024માં તેમની દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ માટે રાખેલા પેટીએમનું સ્પીકર બંધ થઈ જતા તેમણે કંપનીના માણસોને જાણ કરી હતી ત્યારબાદ 7 જાન્યુઆરીએ બે અજાણ્યા વેપારી તેની દુકાને હાજર હતો. ત્યારે બે યુવક ચાલતા ચાલતા દુકાને આવ્યા અને પે-એટીએમ કંપનીમાં આવીએ છીએ તમારા મશીનમાં અવાજ આવતો બંધ થઇ ગયો છે. તે રીપેર કરવા માટે આવ્યા છીએ અને માસિક ભાડું રૂપિયા 125 આવે છે. તે પણ અમે બંધ કરી આપીશું કહીને વેપારીને વાતોમાં ભોળવી રાખ્યો હતો.

દરમિયાન ખાતામાં એક રૂપિયો ટ્રાન્સફર કરવો પડશે કહેતા વેપારીએ તેના સગીર દીકરાને બોલાવીને એપ્લિકેશન થકી વેપારીના એકાઉન્ટમાં થી એક રૂપિયો ગઠિયાના મોબાઈલ ટ્રાન્સફર કરાવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ વેપારીનો મોબાઈલ ફોન લીધો અને તેમાંથી રૂ.99 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. સાઇબર ક્રાઈમમાં જાણ કરી પરંતુ ત્રણમહિના વીતી ગયા છતાં વેપારીના રૂપિયા પાછા નહી આવતા આખરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વેપારી અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન