પત્ની બીમાર છે કહીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા
મણિનગરના કર્મકાંડી બ્રાહ્મણને ગઠિયાએ રૂ.1 લાખ મોકલ્યા હોવાનો ખોટો મેસેજ કરીને રૂ.50 હજાર પડાવી લીધા હતા. અંતે ઠગાઈ થયાની જાણ થતાં કર્મકાંડી બ્રાહ્મણે ખોખરા પોલીસમાં અજાણ્ય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
મણિનગરમાં રહેતા અજય રજનીકાંત રાવલ (ઉ.49) વર્ષોથી કર્મકાંડનો વ્યવસાય કરે છે. ગત મહિને અજાણ્યા નંબર પરથી ફોન કરનારે કહ્યું કે,હું તમારો મિત્ર મિશ્રાજી વાત કરું છું મારો મોબાઈલ ઘરે ભૂલી ગયો છું અને મારી પત્નીને દવાખાનામાં દાખલ કરી છે તો હું તમારા ખાતામાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરું છું અને તમે ડોક્ટરના મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કરી આપજો. આટલું કહીને ગઠીયાએ રૂપિયા જમા થયાનો ખોટા મેસેજ અજયના નંબર પર સેન્ડ કર્યો હતો. એટલે વિશ્વાસમાં આવી ગયેલા અજયે ઠગે આપેલા મોબાઈલ નંબર પર તાત્કાલિક રૂ.50 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં બીજા રૂપિયા ટ્રાન્સફર કરવા જતા તેમનું એકાઉન્ટમાં બેલેન્સ પૂરું થઈ ગયાનો મેસેજ આવ્યો હતો. દરમિયાન એકાઉન્ટ ચેક કરતા ખાતામાં એક રૂપિયો પણ જમા કરાવ્યો ન હતો.