વટવા ગામમાં ગટરના પાણી રોડ પર ભરાયાં

વટવા ગામમાં આવેલા વણકરવાસ પાસે છેલ્લા 10 દિવસથી ગટર ઉભરાય રહી છે. તેમ છતાં તંત્ર દ્વારા આ વિસ્તારના રહીશોની ચિંતા કરવાના બદલે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે. એટલે ગટરના પાણી ભરાયેલા હોવાથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે. આ અંગે સ્થાનિક પ્રવિણ પરમારે જણાવ્યું હતું કે, મ્યુનિ.ના દક્ષિણ ઝોનમાં આવેલા વટવા ગામના શનાભાઈ |નગર વણકરવાસ ગણેશ મંદિર પાસે છેલ્લા 10 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે. જાહેર રોડ પર ગંદા પાણી ભરાઈ રહેતા તેની તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ્ પોકારી ઊઠ્યા છે.

ઉપરાંત ગંદકીના કારણે મચ્છરોનો ઉપદ્રવ પણ એટલી હદે વધી ગયો છે કે લોકો બિમારીનો ભોગ બની રહ્યા છે. એટલે આ મામલે સ્થાનિકો મ્યુનિ. માં ઓનલાઈન ફરિયાદ કરે છે. તો

સમસ્યાના ઉકેલ વિના જ ફરિયાદ ક્લોઝ કરી દેવામાં આવે છે. એટલે આ રીતે વારંવાર લોકો ઓનલાઈન ફરિયાદ કરે પરંતુ ફરિયાદ ઉપર કોઈ ધ્યાન આપતું નથી.

  • Related Posts

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    સમાજને શિક્ષિત કરવા યુવાનોની પહેલ સમાજના બાળકોને શિક્ષિત કરવા અને મહિલાઓને મેડિકલ ઈમરજન્સી વેળા બ્લડની જરૂર પડે ત્યારે સમાજના યુવાનો તેમની પડખે ઉભા રહે તેવા આશયે પટણી સમાજના યુવાનોએ પહેલ…

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    શહેરના લાંભા વોર્ડમાં નવાણા પંપિગ સ્ટેશન પાસે આવેલા બાગે કૌશરના ખુલ્લા મેદાનમાં છેલ્લા કેટલાય સમયથી વરસાદી પાણી ભરાયેલા રહે છે. જેના કારણે ગંદકી થતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં આસપાસના વિસ્તારમાં મચ્છરજન્ય…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    સ્મશાનમાં 500 પરિવારને RTEની માહિતી અપાઈ

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    લાંભા વોર્ડમાં પાણી ભરાઈ રહેતાં મચ્છરોનો ઉપદ્રવ વધતાં બીમારીના કેસોમાં વધારો

    અમદાવાદ ગ્રામ્ય LCBએ ફેદરા ગામે જુગાર રમતા 5 ઝડપાયા

    અમરાઈવાડીમાં ફાઈનાન્સ કંપનીના કર્મી.એ રૂ. 1.18 લાખની ઠગાઈ કરી

    સરદારનગરમાં સિક્રેટ લોકર તોડી દાગીના-રોકડની ચોરી

    મણિનગરમાં સરનામું પૂછવાના બહાને મહિલાનું ચેઈન સ્નેચિંગ