ચાંગોદરમાં 7 વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરી રહેલો હોમિયોપથી ડોક્ટર ઝડપાયો

મોરૈયા ક્રોસિંગ પાસેના ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની કાર્યવાહી

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી છેલ્લાં સાત વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરતા હોમિયોપથી ડોક્ટરને પકડી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને માહિતી મળી હતી કે, ચાંગોદરમાં મોરૈયા રેલવે ક્રોસિંગ પાસે અગ્રવાલ ક્લિનિકના નામથી ડો. ચિરાગ અગ્રવાલ ક્લિનિક ચલાવે છે. ડો. ચિરાગ અગ્રવાલ પોતે હોમિયોપથીની (બીએચએમએસ)ની ડિગ્રી ધરાવે છે તેમ છતાં એલોપથીની પ્રેક્ટિસ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, જેથી સ્થળ પર જઈને તપાસ કરાઈ હતી. ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપથીની દવાઓ મળી હતી, જેને પગલે ડો. અગ્રવાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં યુવતીની ગળેફાંસો ખાઈ આત્મહત્યા

    અમરાઈવાડીમાં રહેતી યુવતીએ કોઈક કારણોસર ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ.આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ અમરાઈવાડીમાં રાજકુમારની ચાલીમાં રહેતા પ્રિયંકાબેન રાય(ઉ.25)એ રવિવારે સાંજના સમયે…

    ભાઈપુરા વોર્ડમાં ગેરકાયદેસર બાંધેલાં 5 મકાન તોડી પડાયાં

    બાંધકામ ખસેડી 100 મીટરનો રસ્તો ખુલ્લો કરાયો શહેરના પૂર્વ ઝોનમાં મ્યુનિ દ્વારા દબાણો ખસેડવાની કામગીરી અંતર્ગત ભાઈપુરા વોર્ડમાં ટી.પી રસ્તામાં બાંધકામ કરાયેલા પાંચ રહેણાંક મકાનોને તોડી પાડીને 100 મીટરનો રસ્તો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર

    ઈસનપુરમાં વિધવાને લગ્નની લાલચ આપી દાગીના લઈ ફરાર ગઠિયો સુરતથી ઝડપાયો

    ખોખરામાં યુવતીના ઘરે તોડફોડ કરનારા યુવક, મિત્રની ધરપકડ