ચાંગોદરમાં 7 વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરી રહેલો હોમિયોપથી ડોક્ટર ઝડપાયો

મોરૈયા ક્રોસિંગ પાસેના ક્લિનિકમાં જિલ્લા આરોગ્ય વિભાગની કાર્યવાહી

જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ચાંગોદર વિસ્તારમાંથી છેલ્લાં સાત વર્ષથી એલોપથીની પ્રેક્ટિસ કરતા હોમિયોપથી ડોક્ટરને પકડી પાડયો હોવાનું જાણવા મળ્યું છે.

આ બાબતે જિલ્લા આરોગ્ય વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ, જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીને માહિતી મળી હતી કે, ચાંગોદરમાં મોરૈયા રેલવે ક્રોસિંગ પાસે અગ્રવાલ ક્લિનિકના નામથી ડો. ચિરાગ અગ્રવાલ ક્લિનિક ચલાવે છે. ડો. ચિરાગ અગ્રવાલ પોતે હોમિયોપથીની (બીએચએમએસ)ની ડિગ્રી ધરાવે છે તેમ છતાં એલોપથીની પ્રેક્ટિસ કરી લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યા છે, જેથી સ્થળ પર જઈને તપાસ કરાઈ હતી. ક્લિનિકમાંથી મોટી માત્રામાં એલોપથીની દવાઓ મળી હતી, જેને પગલે ડો. અગ્રવાલ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની સાથે ચાંગોદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

  • Related Posts

    નારોલમાં લાઈનમાં ભંગાણથી હજારો લીટર પાણીનો વેડફાટ

    પાણી ભરાતા બાળકોને શાળાએ જવામાં હાલાકી શહેરના નારોલના રંગોલીનગર પાસે પાણીની લાઈનમાં જ ભંગાણ પડતાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. ઉપરાંત ખરાબ રોડમાં પાણી ભરાયેલા હોવાથી શાળાએ જતાં…

    સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

    અમદાવાદના પ્રભારી અગ્ર સચિવ મુકેશકુમારે અધિકારીઓને સૂચના આપી ઓબ્ઝર્વેશન બાદ બિલ્ડિંગ નબળી દેખાશે તો સ્ટ્રક્ચર સ્ટેબેલિટી રિપોર્ટ કરાવવામાં આવશે ગંભીરા બ્રિજની ઘટના બાદ અમદાવાદની તમામ સરકારી સ્કૂલો, હોસ્પિટલ, પીએચસી, સીએચસી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    દાણીલીમડામાં પીણાંની ડીલરશિપ આપવાના નામે 2.50 લાખની ઠગાઈ

    હાંસોલમાં અમેરિકન નાગરિકોને લોનના નામે ઠગાઈ કરતાં કોલ સેન્ટરનો પર્દાફાશ

    અમરાઈવાડીમાં સગીરાનું નકલી આઈડી બનાવનાર સામે ફરિયાદ

    વટવામાં પરિણીતાને હેરાન કરનારા પુરુષ સામે ફરિયાદ

    નારોલમાં વેપારીને લોનના નામે ગઠિયાએ છેતરી લીધા

    વટવામાં ધોળેદિવસે યુવકને ચપ્પુ બતાવી રૂ.3.50 લાખ લૂંટી બે ફરાર