જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

સ્વચ્છતાની વાતો કરતું તંત્ર કેનાલમાં ગંદા પાણી છોડીને ગંદકી ફેલાવે છે

શહેરની ખારીકટ કેનાલમાં ગટરના પાણી છોડવા કે કચરો નાંખવા પર મ્યુનિ તંત્રનું પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર લોકો કેનાલમાં ગંદકી કરતા હોવાની ફરિયાદો ઊઠે છે. તેવી જ રીતે જશોદાનગરમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પુષ્કર હિલ પાસે ચાર દિવસથી ગટરના ગંદા પાણી કેનાલમાં છોડવામાં આવે છે. જેના લીધે આસપાસની સાતથી વધારે સોસાયટીના રહીશો ગંદા પાણીની દૂર્ગંધથી પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુદ મ્યુનિ દ્વારા જ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. એટલે લોકોને સ્વચ્છતા રાખવાની અને કેનાલમાં ગંદકી નહીં કરવાની સુફિયાણી સલાહો આપતા મ્યુનિ તંત્ર નિયમોનું ઉલ્લંધન કરી રહ્યું છે.

એટલે કેનાલમાં ગંદકી કરનારા સામે કડક પગલાં ભરવાની તંત્રના દાવા પોકળ નીકળતાં દિવા તળે અંધારા જેવો ઘાટ ઘડાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મ્યુનિ. તંત્રમાં રજૂઆત કરી તો જવાબ મળે છે કે ગટરના પાણીના સ્તર ઉપર આવી ગયા હોવાથી જો પાણી કેનાલમાં છોડશે નહીં તો રહિશોની તકલીફ વધશે. આમ ગટરના પાણીનું લેવલ વધી ગયું હોવાથી તેને આ રીતે કેનાલમાં છોડાય છે. એમ કહીને તંત્રે હાથ અધ્ધર કરી લીધા છે.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી