જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

સ્વચ્છતાની વાતો કરતું તંત્ર કેનાલમાં ગંદા પાણી છોડીને ગંદકી ફેલાવે છે

શહેરની ખારીકટ કેનાલમાં ગટરના પાણી છોડવા કે કચરો નાંખવા પર મ્યુનિ તંત્રનું પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર લોકો કેનાલમાં ગંદકી કરતા હોવાની ફરિયાદો ઊઠે છે. તેવી જ રીતે જશોદાનગરમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પુષ્કર હિલ પાસે ચાર દિવસથી ગટરના ગંદા પાણી કેનાલમાં છોડવામાં આવે છે. જેના લીધે આસપાસની સાતથી વધારે સોસાયટીના રહીશો ગંદા પાણીની દૂર્ગંધથી પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુદ મ્યુનિ દ્વારા જ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. એટલે લોકોને સ્વચ્છતા રાખવાની અને કેનાલમાં ગંદકી નહીં કરવાની સુફિયાણી સલાહો આપતા મ્યુનિ તંત્ર નિયમોનું ઉલ્લંધન કરી રહ્યું છે.

એટલે કેનાલમાં ગંદકી કરનારા સામે કડક પગલાં ભરવાની તંત્રના દાવા પોકળ નીકળતાં દિવા તળે અંધારા જેવો ઘાટ ઘડાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મ્યુનિ. તંત્રમાં રજૂઆત કરી તો જવાબ મળે છે કે ગટરના પાણીના સ્તર ઉપર આવી ગયા હોવાથી જો પાણી કેનાલમાં છોડશે નહીં તો રહિશોની તકલીફ વધશે. આમ ગટરના પાણીનું લેવલ વધી ગયું હોવાથી તેને આ રીતે કેનાલમાં છોડાય છે. એમ કહીને તંત્રે હાથ અધ્ધર કરી લીધા છે.

  • Related Posts

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો