ગોમતીપુર અને નિકોલમાં યુવક સહિત બે વ્યક્તિએ જીવનલીલા સંકેલી લીધી

પૂર્વ વિસ્તારમાં ગોમતીપુર અને નિકોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં એક કયુવક સહિત બે વ્યક્તિઓએ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને જીવનલીલી સંકેલી લીધી હતી. પોલીસસૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગોમતીપુરમાં ગજરા કોલોનીમાં રહેતા મનસુખભાઈ દેવજીભાઈ વાઘેલા(ઉ.44)એ અગમ્ય કારણોસર ગત તા 28મી એ બપોરના સવા ત્રણ વાગે પોતાના ઘરે છતના ભાગે લાકડાના મોભ સાથે સાડી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.

આ અંગે ગોમતીપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. બીજી ઘટનામાં નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે આવેલા જથ સૂર્યનગર સોસાયટીમાં રહેતા જય રાજુભાઈ પટેલ( ઉ.26)એ ગત તા 28 મીના સવારના 9 થી બપોરના 12 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન અગમ્ય કારણોસર પોતાના ઘરે છતમાં લોખંડની પાઈપ સાથે દોરી બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    બે લોકો સામે ગોમતીપુર પોલીસમાં ફરિયાદ ગોમતીપુરમાં બે સગાભાઈઓએ મારા વિશે ખોટી વાતો કેમ કરે છે કહીને એક યુવકના કાન ઉપર તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી દેતા યુવકનો કાન કપાઈ ગયો…

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    બેઝબોલની સ્ટિક અને જવલનશીલ પ્રવાહી ભરેલો કેરબો લાવ્યા હતા બંનેએ મોઢા ઉપર રૂમાલ બાંધ્યો હતો અને ટોપી ઊંધી પહેરી હતી સરખેજ મકરબા રોડ ઉપર આવેલી કિચન કિંગ હોસ્પિટાલિટી નામની કેન્ટીનમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    યુવક પર તીક્ષ્ણ હથિયારનો ઘા ઝીંકી કાન કાપી નાખ્યો

    મકરબામાં આવેલી એક કેન્ટિનમાં તોડફોડ કરી બે યુવકોએ આગ ચાંપી

    મધ્ય અને ઉત્તર ઝોનમાં ગંદકી કરવા બદલ 2.70 લાખ રૂપિયાનો દંડ કરાયો

    જશોદાનગરમાંથી 105 કિલો બનાવટી ઘી પકડાયું કુંભમાં પાપ ધોવા ગયેલા સપ્લાયરના ગોડાઉન સીલ

    નારોલમાં હાથઉછીનાં નાણાં પરત માંગનારા યુવક પર પાઈપથી હુમલો

    વટવામાં મ્યુનિ.ની ટીમ સાથે માથાકૂટ કરીને 4 લોકો ગાયને છોડાવીને ફરાર