સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો

એક મહિલા જથ્થો રાખી વેચાણ કરતી હતી

શહેરના સરદારનગરમાંથી ગુના નિવારણ શાખાએ વિદેશી બનાવટના દારૂની અને બિયરની મળી કુલ 1560 બોટલો મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ગુના નિવારણ શાખાને બાતમી મળી હતી કે નરોડા એસ ટી વર્કશોપની બાજુમાં મહાજનીયા વાસમાં શ્યામસુંદર માર્કેટમાં ઘરનંબર 112 તથા દુકાન નંબર 59માં વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસટીમે સ્થળ પર રેડ કરીને અમિત માલાભાઈ ઠાકોરને પકડીને તપાસ કરતા ઘર અને દુકાનમાંથી વિદેશી બનાવટની દારૂ અને બિયરની કુલ 1560 બોટલો કિંમત રૂ..1,85,305 ની મળી આવી હતી. આ અંગે અમિત ઠાકોરની પુછપરછ કરતા આ દારૂ બિયરનો જથ્થો પદમાબેન નિરજભાઈ રાઠોડ( છારા)નો હોવાનુ અને અમિત રોજના 700 રૂપિયા મેળવી વિશ્વાસુ ગ્રાહકોને દારૂ બિયર વેચતો હોવાની કબુલાત કરી હતી. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમિત ઠાકોર અને વોન્ટેડ પદમાબેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન