વટવામાં મકાન તોડવા જતાં દીવાલ પડી જતાં યુવકનું મોત

સીડી તોડવા જતા દિવાલ પણ ધરાશયી થઈ

વટવા વિસ્તારમાં જુનુ મકાન તોડવાની કામગીરી દરમિયાન સીડી તથા દિવાસ તૂટી પડતા એક યુવકને માથાના ભાગે ગંભીર ઈજા થતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજયું હતું. આ અંગે વટવા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

શહેરના વટવા વિસ્તારમાં જાનીયાપીરના ટેકરાખાતે રહેતા પ્રભુભાઈ રણછોડભાઈ ખાંટ( ઉ.22) પી ડી પંડયા કોલેજ પાસે આવેલી વ્રજભૂમિ સોસાયટીમાં આવેલા એક જૂના મકાનને પાડવાનું કામ મળ્યુ હોઈ અન્ય મજૂરો સાથે કામ કરવા જતા હતા.

દરમિયાન બુધવારે સવારના 11.15 વાગે પ્રભુભાઈ સોસાયટીમાં મકાન પાડવાની કામગીરી કરતા હતા. ત્યારે મકાનની સીડી તોડતી વખતે અચાનક સીડી તથા તેને અડીને આવેલી દિવાલ તુટી પડતા પ્રભુભાઈ કાટમાળ નીચે દટાઈ જતા ગંભીર ઈજા થઈ હતી. તેમને સારવાર અર્થે એલ જી હોસ્પિટલ લઈ ગયા હતા. ત્યાં ડોકટરે તેમને મૃત જાહેર કર્યા હતા.

  • Related Posts

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

    નારોલમાં રહેતા 32 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ જાન્યુઆરી 2024માં રાજસ્થાનના યુવક સાથે થયા હતા. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં રહેવા ગઈ ત્યારથી જ પતિ સહિત સાસરિયાઓએ દહેજની માંગણી શરૂ કરી હતી.…

    રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

    કૃષ્ણનગરમાં વેપારીએ 10 ટકાના વ્યાજે રૂપિયા લીધા હતા કૃષ્ણનગરમાં રહેતા જમીન વેચનો વ્યવ્સાય કરતા યુવકે તેમના પિતાની સારવાર અને મોટીબહેનના લગ્ન પ્રસંગ માટે રૂપિયાની જરૂર હોઈ વ્યાજખોર પાસેથી 10 ટકાના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી

    રૂ.7 લાખની રકમ સામે રૂ.45 લાખ લઈ ધમકી આપતાં વ્યાજખોર સામે ફરિયાદ

    વટવામાં પતિનો આડોસબંધ પકડાતાં પત્નીને કાઢી મુકી

    ખોખરામાં અદાવતમાં ફલેટનુ તાળુ તોડી સામાનની તોડફોડ

    નરોડામાં લૂટેરી દુલ્હન અને વચેટિયાએ રૂ.3 લાખ પડાવ્યા

    દાણીલીમડામાં ડેવલપમેન્ટ કરવા આપેલી મિલ્કતનું વેચાણ કરી દેવાયું