ઓઢવમાં પેર્ટીએમનું સ્પીકર રિપેરિંગ કરવાના બહાને 99 હજારની ઠગાઈ

વેપારીએ બે અજાણ્યા પુરુષો સામે ત્રણ મહિના બાદ ફરિયાદ કરી

ઓઢવમાં પોપ્યુલર પાર્કમાં રહેતા દરજારામ ચૌધરી (ઉ,47)સોસાયટીના નજીક જ કરિયાણાની દુકાન ધરાવે છે. ગત ડિસેમ્બર, 2024માં તેમની દુકાનમાં ઓનલાઈન પેમેન્ટ માટે રાખેલા પેટીએમનું સ્પીકર બંધ થઈ જતા તેમણે કંપનીના માણસોને જાણ કરી હતી ત્યારબાદ 7 જાન્યુઆરીએ બે અજાણ્યા વેપારી તેની દુકાને હાજર હતો. ત્યારે બે યુવક ચાલતા ચાલતા દુકાને આવ્યા અને પે-એટીએમ કંપનીમાં આવીએ છીએ તમારા મશીનમાં અવાજ આવતો બંધ થઇ ગયો છે. તે રીપેર કરવા માટે આવ્યા છીએ અને માસિક ભાડું રૂપિયા 125 આવે છે. તે પણ અમે બંધ કરી આપીશું કહીને વેપારીને વાતોમાં ભોળવી રાખ્યો હતો.

દરમિયાન ખાતામાં એક રૂપિયો ટ્રાન્સફર કરવો પડશે કહેતા વેપારીએ તેના સગીર દીકરાને બોલાવીને એપ્લિકેશન થકી વેપારીના એકાઉન્ટમાં થી એક રૂપિયો ગઠિયાના મોબાઈલ ટ્રાન્સફર કરાવ્યો હતો. ત્યારબાદ ગઠિયાએ વેપારીનો મોબાઈલ ફોન લીધો અને તેમાંથી રૂ.99 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. સાઇબર ક્રાઈમમાં જાણ કરી પરંતુ ત્રણમહિના વીતી ગયા છતાં વેપારીના રૂપિયા પાછા નહી આવતા આખરે ઓઢવ પોલીસ સ્ટેશનમાં વેપારી અજાણ્યા બે શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    પહલગામ આંતકી હુમલામાં 28 જેટલા નિર્દોષ નાગરિકોના મોત નિપજતાં દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલી આપવા માટે નરોડા વેપારી એસોસિએશન દ્વારા શનિવારે બંધ પાળવામાં આવ્યો…

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    તંત્ર દ્વારા કામગીરી કરવામાં ગલ્લાંતલ્લાં કરાય છે શહેરના બાપુનગરમાં ગુજરાત હાઉસિંગ બોર્ડની વસાહતમાં છેલ્લા કેટલાય સમયથી સ્ટ્રીટ લાઈટો બંધ થતી હોવાની ફરિયાદો ઊઠી છે.તેમાં પણ એક લાઈટનો થાંભલો પડી ગયાને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પહલગામ આતંકી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ આપવા નરોડા અને કાલુપુરમાં વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો

    બાપુનગરમાં સ્ટ્રીટ લાઈટના થાંભલાથી કરંટ લાગવાનો ભય

    પત્ની, તેના પ્રેમી અને સાસરિયાંના ત્રાસથી કંટાળી યુવકે ગળાફાંસો ખાધો

    પૂર્વના વિવિધ વિસ્તારોમાં સ્ટ્રીટલાઈટો બંધ રહેતા અકસ્માત થતાં હોવાની ફરિયાદો ઉઠી

    દાણીલીમડામાં નકલી ડોક્ટર બની સારવાર કરતાં પિતા-પુત્રની નકલી હોસ્પિટલ પકડાઈ

    નારોલમાં પતિએ દહેજ માગી પત્નીને ઘરેથી કાઢી મૂકી