ઓઢવમાં ધર્મપરિવર્તનની આશંકાએ પ્રાર્થનામાં લાકડીઓ સાથે ટોળુ ઘૂસ્યું

ખ્રિસ્તીધર્મના પ્રાર્થનાસ્થળે ટોળાએ જયશ્રીરામના નારા લગાવ્યા

ઓઢવ વિસ્તારમાં ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં ખ્રિસ્તી ધર્મના લોકો પ્રાર્થના ખંડમાં સભા કરી રહ્યા હતા, આ સમયે ધર્મપરિવર્તન થતુ હોવાની શંકાના આધારે હિન્દુ સંગઠન સાથે જોડાયેલા લોકોનુ ટોળુ ત્યાં પહોચી ગયુ હતુ અને અહીંયા ધર્મ પરિવર્તન કેમ કરાવો છો કહીને જય શ્રીરામના નારા લગાવ્યા હતા. આ મામલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં 10 વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છ વ્યક્તિની અટકાયત કરી છે.

ઓઢવમાં વિમલપાર્ક નજીક ઈશા વિદ્યાલય કોમ્પલેક્ષમાં રહેતા ઈમાનુએલ ખ્રિસ્તીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદમાં જણાવાયુ છે કે. ગત રવિવારે સવારે ખ્રિસ્તી ધર્મની પ્રાર્થના માટે અમે બધા ભેગા થયા હતા. અને પ્રાર્થના કરી રહ્યા હતા. ત્યારે પ્રાર્થના ખંડમાં જય શ્રી રામના નારા લગાવતા કેટલાક લોકોનુ ટોળુ આવી ચઢ્યું અને તમે લોકો ( લોકો અહિયાં ધર્મપરિવર્તન કરી રહ્યા છો, અહિયાં આ બધું નહી ચાલે અને ટોળામાં આવેલા લોકોના હાથમાં લાકડીઓ અને પાઈપો પણ હતી.

આ સિવાય પ્રાર્થના ખંડની બહાર બીજા 20થી 25 લોકોનું ટોળું ઉભેલું હતું. અને તેલોકો પણ જોરજોરથી બુમો પાડી રહ્યા હતા. ત્યારબાદ ઈમાનુએલ ખ્રિસ્તીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને સમગ્ર મામલે જાણ કરી હતી. ત્યારબાદ ઓઢવ પોલીસે દર્શન જોશી, જીગ્નેશભાઈ. જીતુંભાઈ બઠેડા, મયુરભાઈ દવે તથા યોગેશ ભાઈ સહીત કુલ 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. જેમાં 6 લોકોની પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથધરી છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર