વટવામાં પેટ્રોલપંપના કર્મચારીને ફટકારીને 4 શખશો નાસી છૂટ્યા

અન્ય વાહનમાં પેટ્રોલ ભરતા મારામારી કરી

વટવામાં પેટ્રોલપંપ પર ટુ વ્હીલરમાં પેટ્રોલનુ ઢાંકણું નહી ખુલતા સાઈડમાં ઉભા રહેવાનુ કહેનારા પેટ્રોલપંપના કર્મચારીને ત્રણ અજાણ્ય શખ્સોએ પટ્ટાથી માર માર્યો હતો. આ અંગે વટવા પોલીસ સ્ટેશનમાં ચાર સામે ફરિયાદ નોંધાવી છે.

વટવામાં રહેતા રાજેશભાઈ પાલ રીંગરોડ પર આવેલ પાર્થ પેટ્રો સ્ટેશન નામના ખાનગી કંપનીના પેટ્રોલપંપ પર ફીલર તરીકે નોકરી કરે છે. ગત 18મેએ રાત્રીના સમયે તેઓ નોકરી પર હાજર રહીને વાહનોમાં પેટ્રોલ ભરતા હતા. તે સમયે એક ટુ-વ્હીલર પર ત્રણ શખ્સો આવ્યા હતા. ત્યારે તે ટુ-વ્હીલરમાં પેટ્રોલ ભરવાનો વારો આવ્યો ત્યારે પેટ્રોલનું ઢાંકણુ ખુલ્યુ ન હતુ.

જેથી રાજેશભાઈએ ટુ-વ્હીલરચાલકને સાઇડમાં ઉભા રહેવાનું કહીને કહીને પાછળના ટુ-વ્હીલરમાં પેટ્રોલ ભર્યું હતુ. આ દરમ્યાન ટુ-વ્હીલરચાલકનું ઢાંકણુ ખુલી જતા તેને રાજેશભાઈને બિભત્સ ગાળો બોલીને તે કેમ મારી વાહન પહેલા બીજા વાહનમાં પેટ્રોલ ભર્યું કહીને ઝઘડો કરીનો જતા રહ્યા હતા. થોડીવાર બાદ ફરીથી ટુ-વ્હીલચાલક સહિત બે ટુ-વ્હીલર પર ચાર શખ્સો હાથમાં પટ્ટો લઈને આવ્યા હતા. બાદમાં ચારેય શખ્સોએ રાજેશભાઈ સાથે ઝઘડો કરીને તેમને પટ્ટાથી ફટકારી જાનથી મારવાની ધમકી આપીને ચારેય જતા રહ્યા હતા.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન