ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ, 2020માં આપ્યા હતા. જે તે સમયે મજૂરીના રૂ. 24 હજાર નક્કી થતા અંજનાબેન રૂ. 18 હજાર આપ્યા હતા અને બાકીના દાગીના આપે ત્યારે આપવાનું નક્કી કર્યું હતું.

દરમિયાન કોરોના આવતા દુકાન બંધ રહેતી હોઈ અંજનાબેને દાગીના નહીં બનાવવાનું કહેતા નિમેષકુમારે બે ત્રણ માસમાં દાગીના બનાવી આપવાનું કહ્યુ હતુ. બે ત્રણ મહિના વીતી ગયા બાદ રણી અને રૂપિયાની ઉઘરાણી કરતા નિમેષકુમારે જે કારીગરને દાગીના બનાવવા આપ્યા છે તેને એકસીડન્ટ થયો હોવાનુ કહ્યુ હતુ.

અંજનાબેને કારીગરને મળવા હોસ્પિટલ જવાનુ કહેતા તેમના મળવા લઈ ગયા નહતા. ફરી ઉઘરાણી કરતા કારીગર કોલકત્તા બાજુનો હોઈ દાગીનાની રણી લઈ જતો રહ્યો હોવાનુ કહ્યુ હતુ. આમ દાગીનાની રણી કે એડવાન્સ રૂપિયા પરત નહી આપતા કંટાળીને અંજનાબેનએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જવેલર્સ નિમેષકુમાર શાહ સામે છેતરપીંડી ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    2023-24માં ગ્રેજ્યુઇટી, લેબર કોર્ટ સહિતના કેસો પર સુનાવણી થઈ હતી અમદાવાદ કલેકટર કચેરી ખાતે વર્ષ 2023 અને 24માં લેબર કોર્ટના કેસ, ગ્રેજચ્યુટી સહિતના કેસોની સુનાવણી હાથ ધરવામાં આવે છે. જેમાં…

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    પોલીસે નિકોલમાં રહેતા 25 વર્ષના આરોપીની ધરપકડ કરી દિલ્હી દરવાજા પાસે શનિવારે વહેલી સવારે પોણા સાત વાગ્યાના સુમારે 49 વર્ષીય સફાઈ કર્મી મહિલા ડાહીબેન પ્રહલાદભાઈ ચૌહાણ નિત્યક્રમ મુજબ મસ્ટરમાં સહી…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    કલેક્ટર કચેરીએ 114 કેસમાં લોકોને 10 કરોડ અપાવ્યા

    દિલ્હી દરવાજા પાસે કારચાલકે ટક્કર મારતા સફાઈ કર્મચારી મહિલાનું મોત

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    નારોલ સર્કલ પાસે મોડી સાંજે વરસાદ બાદ ટ્રાફિકજામ થતા હજારો વાહનચાલકો ફસાયા

    ભાઈપુરા-હાટકેશ્વર વોર્ડમાં 200 મીટરનો રોડ બેસી જતાં 3 ભૂવા પડ્યા, આખો રોડ બેસી જવાનો ભય

    નવાણા પંપિંગનાં પંપો ચાલુ નહીં કરાતા વટવા, લાંભા વોર્ડના 7000 મકાનોમાં ગટર બેક મારે છે

    વટવાની કંપનીના એકાઉન્ટન્ટે 3 કરોડની ઉચાપત કરી