નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

દુકાનદારની પત્નીએ કચરો નાખતા મામલો બિચકયો

નારોલમાં દુકાનમાંથી કચરો ફેંકવાની નજીવી બાબતે બે વ્યક્તિઓએ ઝધડો કરીને દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાવાઈ છે.

નારોલમાં રહેતા નાથુલાલ ગુજજર( ઉ.30) તેમના મકાન નીચે ડેરી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.શુકવારે તેઓ અસલાલી કામસર ગયા હતા ત્યારે તેમનો પુત્રએ ફોન કરીને કહ્યું કે તમે જલદી તુકાને આવો બે લોકોએ કચરો નાખવા બાબતે બોલાચાલી કરી દુકાનના કાચ તોડી નાખી તોડફોડ કરી છે. નાથુલાલ ગુજજર તાતકાલીક અસલાલીથી આવી ગયા હતાં અને દુકાને આવતા જોયુ તો કાચના ટેબલના કાચ તુટેલા હતા.

આ અંગે પુછતા તેમની પત્નીએ કહ્યુ હતુ કે, તેઓ દુકાન આગળ કચરો નાંખવા માટે ગયા હતા. ત્યારે રોનક મનોજભાઈ સોલંકી અને તેનો મિત્ર સાગર ત્યાં હાજર હતા.

કચરો નાંખતા તેમના પર થોડો કચરો ઉડયો હતો. આથી રોનકે કચરો કેમ ઉડાડયો તેમ કહેતા મે તેની માફી પણ માંગી હતી. થોડીવાર બાદ રોનક તથા સાગરના પિતા હરિશભાઈ બંને હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને દુકાનમાં ટેબલના કાચ અને ઠંડાપીણાના કેરેટના થપ્પાને ધોકા મારી તોડફોડ મચાવી હતી. આ અંગે નાથુલાલે નારોલ પોલીસ સ્ટેશનમાં રોનક અને હરિશભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વેજલપુરમાં રહેતા અને એસોસીએશન ફોર વોલેન્ટરી એકશન સંસ્થાના સ્ટેટ કોર્ડીનેટર દામિનીબેન પટેલ અને તેમની સાથી કર્મચારીઓએ પોલીસ ટીમ સાથે હાથીજણ વિસ્તારમાં તપાસ કરતાં ક્રિશ્ના છોલેભટુરે તેમજ જય અંબે ઈડલી વડા…

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવાGIDCમાંબે દુકાનદાર બાળમજૂરી કરતા પકડાયા

    વટવા-નારોલમાં બે પુરુષોએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો

    નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    ચંડોળા તળાવમાંથી દબાણો હટાવાયા બાદ કુલ 3877 મેટ્રિક ટન કાટમાળ દૂર કરાયો

    વસ્ત્રાલમાં આઈકોનિક રોડ પર ગટર ઉભરાતાં લોકો ત્રસ્ત

    નિકોલમાં રૂપિયાની લેતીદેતીમાં તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી યુવકની હત્યા