નારોલમાં નજીવી બાબતમાં પાર્લર પરબેશખ્સોએ તોડફોડ મચાવી

દુકાનદારની પત્નીએ કચરો નાખતા મામલો બિચકયો

નારોલમાં દુકાનમાંથી કચરો ફેંકવાની નજીવી બાબતે બે વ્યક્તિઓએ ઝધડો કરીને દુકાનમાં તોડફોડ મચાવી હતી. આ અંગે નારોલ પોલીસ સ્ટેશનમાં બે સામે ફરિયાદ નોંધાવાઈ છે.

નારોલમાં રહેતા નાથુલાલ ગુજજર( ઉ.30) તેમના મકાન નીચે ડેરી ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.શુકવારે તેઓ અસલાલી કામસર ગયા હતા ત્યારે તેમનો પુત્રએ ફોન કરીને કહ્યું કે તમે જલદી તુકાને આવો બે લોકોએ કચરો નાખવા બાબતે બોલાચાલી કરી દુકાનના કાચ તોડી નાખી તોડફોડ કરી છે. નાથુલાલ ગુજજર તાતકાલીક અસલાલીથી આવી ગયા હતાં અને દુકાને આવતા જોયુ તો કાચના ટેબલના કાચ તુટેલા હતા.

આ અંગે પુછતા તેમની પત્નીએ કહ્યુ હતુ કે, તેઓ દુકાન આગળ કચરો નાંખવા માટે ગયા હતા. ત્યારે રોનક મનોજભાઈ સોલંકી અને તેનો મિત્ર સાગર ત્યાં હાજર હતા.

કચરો નાંખતા તેમના પર થોડો કચરો ઉડયો હતો. આથી રોનકે કચરો કેમ ઉડાડયો તેમ કહેતા મે તેની માફી પણ માંગી હતી. થોડીવાર બાદ રોનક તથા સાગરના પિતા હરિશભાઈ બંને હાથમાં ધોકા લઈને આવ્યા હતા અને દુકાનમાં ટેબલના કાચ અને ઠંડાપીણાના કેરેટના થપ્પાને ધોકા મારી તોડફોડ મચાવી હતી. આ અંગે નાથુલાલે નારોલ પોલીસ સ્ટેશનમાં રોનક અને હરિશભાઈ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

  • Related Posts

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    મણિનગરમાં યુવતીને ફેક આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

    વટવા GIDCની કંપનીમાંથી રૂ. એક લાખના વાયરની ચોરી

    વિપક્ષના નેતા શહેઝાદખાનને જાનથી મારી નાખવાની ધમકી