શહેરના વટવા અને નારોલમાં આત્મહત્યાની બે અલગ અલગ ઘટનામાં બે વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધુ હતુ. વટવા સંકલ્પ રેસીડેન્સી માં રહેતા સુબોધભાઈ વિનોદભાઈ પરમાર(ઉ.41) અગમ્ય કારણોસર ગુરુવારે સવારના 8 વાગે પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. . નારોલમાં ઈન્દિરાનગર વિભાગ-1માં રહેતા જીતેન્દ્રભાઈ પરમાર(ઉ.34)એ ગુરુવારે કોઈક કારણોસર પોતાના ઘરે છતના ભાગે પંખાના હુક સાથે કપડું બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી.
સરદારનગરમાં જુગારધામ પર રેડ, 8 મહિલાની ધરપકડ
મહિલા ફલેટ ભાડે રાખીને જુગાર રમાડતી હતી સામાન્ય રીતે પુરુષો જુગાર રમતા પકડાય છે પરંતુ મહિલાઓ પણ આ ક્ષેત્રમાં પુરુષ સમોવડી બની હોય તેવી એક ઘટનામાં સરદારનગરમાં એક ફલેટમાં જુગાર…








