મણિનગરમા ગઠિયાએ ખોટો મેસેજ કરી 50 હજાર પડાવ્યા

પત્ની બીમાર છે કહીને નાણાં ટ્રાન્સફર કરાવ્યા

મણિનગરના કર્મકાંડી બ્રાહ્મણને ગઠિયાએ રૂ.1 લાખ મોકલ્યા હોવાનો ખોટો મેસેજ કરીને રૂ.50 હજાર પડાવી લીધા હતા. અંતે ઠગાઈ થયાની જાણ થતાં કર્મકાંડી બ્રાહ્મણે ખોખરા પોલીસમાં અજાણ્ય શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.

મણિનગરમાં રહેતા અજય રજનીકાંત રાવલ (ઉ.49) વર્ષોથી કર્મકાંડનો વ્યવસાય કરે છે. ગત મહિને અજાણ્યા નંબર પરથી ફોન કરનારે કહ્યું કે,હું તમારો મિત્ર મિશ્રાજી વાત કરું છું મારો મોબાઈલ ઘરે ભૂલી ગયો છું અને મારી પત્નીને દવાખાનામાં દાખલ કરી છે તો હું તમારા ખાતામાં 1 લાખ રૂપિયા ટ્રાન્સફર કરું છું અને તમે ડોક્ટરના મોબાઈલ નંબર પર રૂપિયા ટ્રાન્સફર કરી આપજો. આટલું કહીને ગઠીયાએ રૂપિયા જમા થયાનો ખોટા મેસેજ અજયના નંબર પર સેન્ડ કર્યો હતો. એટલે વિશ્વાસમાં આવી ગયેલા અજયે ઠગે આપેલા મોબાઈલ નંબર પર તાત્કાલિક રૂ.50 હજાર ટ્રાન્સફર કરી આપ્યા હતા. બાદમાં બીજા રૂપિયા ટ્રાન્સફર કરવા જતા તેમનું એકાઉન્ટમાં બેલેન્સ પૂરું થઈ ગયાનો મેસેજ આવ્યો હતો. દરમિયાન એકાઉન્ટ ચેક કરતા ખાતામાં એક રૂપિયો પણ જમા કરાવ્યો ન હતો.

  • Related Posts

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    નિકોલ પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ જર, જમીન અને જોરું ત્રણેય કજિયાના છોરું કહેવતને સાર્થક કરતો એક બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. નિકોલમાં પતિના અન્ય સ્ત્રી સાથેના અનૈતિક સબંધોની જાણ…

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ રોકવા માટે મ્યુનિ.દ્વારા સ્પેશિયલ ડ્રાઈવ યોજીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેમાં મધ્ય ઝોનમાં મ્યુનિ દ્વારા સધન ચેકીંગ કરીને પ્લાસ્ટિકના વપરાશ બદલ 112 એકમને નોટીસ ફટકારીને…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    પતિના અનૈતિક સંબંધના લીધે એસિડ પી લેતાં પત્નીનું મોત

    પ્લાસ્ટિક મામલે મધ્ય ઝોનમાં 11 એકમ સીલ કરાયાં

    મહિલાનું રૂ.2.10 લાખના દાગીના ભરેલું પર્સ ચોરી રિક્ષાગેંગ રફુચક્કર

    12 જ્યોતિર્લિંગનાં દર્શન કર્યા બાદ ગુનાખોરી છોડવાનું નક્કી કર્યું, પોલીસે આરોપીની ઓરિસ્સાથી ધરપકડ કરી

    દાણીલીમડામાં ડ્રેનેજના તૂટેલા ઢાંકણાથી અકસ્માતનું જોખમ

    ઓઢવમાં ભત્રીજીના ફોટો ડિલિટ કરાવવા ગયેલા કાકાની હત્યા કરાઈ