રામોલમાં બીમારીની વિધિના બહાને ભૂવાએ 5.90 લાખના દાગીના પડાવ્યા

બારી પર બાંધેલી દાગીનાની પોટલી પડતા પથ્થર, લીંબુ નીકળ્યાં

વસ્ત્રાલમાં રહેતા વેપારીની દીકરીને શ્વાસોશ્વાસ અને પેટમાં દુખાવાની તકલીફ રહેતી હોઈ ગોતામાં રહેતા ભૂવાના ચકકરમાં ફસાયા હતા. ભૂવાએ વિધિ કરવાના બહાને પરિવારને ડરાવીને રૂ. 5.90 લાખના દાગીના પડાવી લેતા અંતે રામોલ પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે ફરિયાદ નોંધાવાઈ છે.

વસ્ત્રાલમાં રહેતા નંદલાલ પટેલ રામોલમાં પ્લાસ્ટિકની ફેકટરી ધરાવી વેપાર કરે છે. તેમની મોટી દીકરીને શ્વાસ લેવામાં તેમજ પેટમાં દુખાવાની તકલીફ હોઈ દવા કરાવવા છતાં કોઈ ફરક પડતો નહતો. આ સ્થિતિમાં તેમના જમાઈના મિત્રએ ગોતા વંદેમાતરમ પ્રાઈમમાં રહેતા ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીનુ નામ આપતા પરિવાર ભૂવાનાં સંપર્કમાં આવ્યો હતો. ભૂવાએ એપ્રિલ મહિનામાં નંદલાલભાઈના ઘરે તેમની દીકરીની સાસરીમાં વિધિ કરવાના નામે સોનાના દાગીનાની પોટલીઓ બંધાવીને રૂમના દરવાજે જામીન તરીકે બંધાવી હતી.

ત્યારબાદ બંને પોટલીઓ લઈ ભૂવાએ ચાંદલોડીયા તળાવ પાસે સ્મશાનમાં વિધિ કરવા માટે બોલાવ્યા હતા.વિધિનો ઢોંગ કર્યા બાદ રૂ. 5.90 લાખના દાગીના ભરેલી પોટલીઓ પાછી આપીને બારી પર પોટલીઓ બાંધીને ખુલી જશે તો દુખ વધી જશે તેવી બીક બતાવી હતી. તેમજ 37 દિવસ બાદ મને ફોન કરીને પોટલીઓ ખોલજો તેમકહ્યું હતુ. આ તરફ પરિવારે બીકના માર્યા પોટલીઓ ખોલી નહતી. પરંતુ અચાનક પોટલીઓ નીચે પડતી જતા તેમાંથી પથ્થરો અને લીંબુ નીકળતા જમાઈએ સસરાને ફોન કરીને જાણ કરતા ભૂવાને ફોન કરતા તેનો ફોન સ્વીચઓફ આવતો હતો. દરમિયાન ભૂવા ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીની માંડલ પોલીસે ધરપકડ કરી હોવાની જાણ થઈ હતી. આ મામલે નંદલાલ પટેલે ભૂવા સામે રૂ. 5.90 લાખના દાગીના પડાવી છેતરપીંડી કર્યાની ફરિયાદ રામોલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.

ભૂવા સામે ઘાટલોડીયા પોલીસમાં પણ ફરિયાદ થઈ હતી

ઘાટલોડીયામાં રહેતા હસમુખભાઈ પટેલની પુત્રવધૂને આ જ રીતે શ્વાસ લેવામાં અને પેટમાં દુખાવાની તકલીફ હોઈ આ પરિવાર પણ ચંદ્રકાંત પંચાલ ઉર્ફે બાપજીની ચુંગાલમાં ફસાયો હતો. આ જ રીતે દાગીનાની પોટલીઓ વાળીને ભૂવાએ ખોલવાની ના પાડીને કુલ રૂ. 13.62 લાખના દાગીના પડાવી લીધા હતા આ મામલે તાજેતરમા ઘાટલોડીયા પોલીસ સ્ટેશનમાં ભૂવા સામે પોલીસ ફરિયાદ નોંધાવાઈ છે

  • Related Posts

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    શહેરના રાયપુર ચકલા ખાતે આવેલા આકાશેઠકુવાની પોળ ખાતે છેલ્લા કેટલાક દિવસોથી પાણી આવતા નથી. જેના કારણે લોકોએ મ્યુનિ.માં સ્થાનિકો દ્વારા ફરિયાદ કરાતા તંત્રે પાણીની સમસ્યાના ઉકેલના બદલે માત્ર ટેન્કર મોકલીને…

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    વરસાદમાં રસ્તા તુટી જવાના કે ભૂવા પડવાની સમસ્યા હોવાથી વાહનચાલકોને ભારે હેરાનગતિ સૌથી વધુ મધ્ય ઝોનમાં 1138 રસ્તા બિસમાર, શહેરના પડેલા ભૂવામાંથી 60 ટકા તો પૂર્વમાં જ શહેરના સામાન્ય વરસાદમાં…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    રાયપુરમાં હેરિટેજ પોળોમાં ટેન્કરરાજ, પાણી આપવામાં મ્યુનિ તંત્રની કામગીરી પણ હેરિટેજ જેવી

    પૂર્વમાં દોઢ મહિનામાં જ વરસાદના લીધે બિસમાર રોડ અને ભૂવા પડવાની 5 હજારથી વધારે ફરિયાદો

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સાબરકાંઠા: પ્રાંતિજના કતપુર ટોલટેક્સ પાસેથી આગણવાડીની ટી.એચ.આર.ની બેગો ભરેલું પીકઅપ ડાલુ પકડાયું

    સ્કૂલો, આંગણવાડી, હોસ્પિટલ સહિત તમામ સરકારી બિલ્ડિંગનાં બાંધકામની તપાસ કરાશે

    એસજી હાઈવે, નવા વાડજ સહિતના વિસ્તારમાં રઝળતાં ઢોરનો ત્રાસ ફરી શરૂ

    વટવામાં દુકાનમાં કામ કરતા સગીરનું કરંટ લાગતા મોત