મકાનમાલિક બહાર સૂવા માટે ગયા હતા
ખોખરામાં નવનિર્માણ સોસાયટીમાં ભજન હોઈ ઉધ આવતી નહોઈ સ્થાનિક રહેવાસી રીક્ષા લઈને અન્ય સ્થળે સૂવા માટે ગયા હતા. આ દરમિયાન કોઈ તેમના બંધ ઘરનુ તાળુ તોડી ટીવી ફ્રિજ અને કાચના ખાનામાં તોડફોડ કરીને નાસી ગયુ હતુ. આ અંગે ખોખરા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યકતિ સામે મનદુખની અદાવત રાખીને આ કૃત્ય કરવામાં આવ્યુ હોવાની શંકાના આધારે ફરિયાદ નોંધાવાઈ છે.
ખોખરામાં નવનિર્માણ કો. હા ,સોસાયટીમાં રહેતા મનોજભાઈ ચાવડા ના પરિવારજનો ગત તા 19 મીની રાતે બહાર ગયા હોઈ તેઓ ઘરે એકલા હતા. આ સમયે તેમના ફલેટની નીચે ભજનનો કાર્યક્રમ હોઈ અવાજ તેમના ઘરમાં જોરથી આવતો હોઈ તેમને ઉંઘ આવતી નહતી એટલે તેઓ પોતાની રીક્ષા લઈને ખોખરા સ્લમ કવાટર પાસે રીક્ષા રાખીને તેમાં સૂઈ ગયા હતા. સવારે ઉઠીને તેઓ ઘરે ગયા અને જોયુ તો તેમના ઘરનો દરવાજો તુટેલો હતો. અંદર જઈને તપાસ કરતા સરસામાર વેરવિખેર હાલતમાં પડ્યો હતો. અને ટીવી તેમજ ફ્રિજને તોડફોડ કરી હોવાનુ જાણવા મળ્યુ હતુ. અંદરના ખાના પણ તુટેલા હતા