જશોદાનગરમાં ડ્રેનેજના પાણી કેનાલમાં છોડતાં તીવ્ર દુર્ગંધથી સાત સોસાયટીના રહેવાસી ત્રસ્ત

સ્વચ્છતાની વાતો કરતું તંત્ર કેનાલમાં ગંદા પાણી છોડીને ગંદકી ફેલાવે છે

શહેરની ખારીકટ કેનાલમાં ગટરના પાણી છોડવા કે કચરો નાંખવા પર મ્યુનિ તંત્રનું પ્રતિબંધ છે. તેમ છતાં અવારનવાર લોકો કેનાલમાં ગંદકી કરતા હોવાની ફરિયાદો ઊઠે છે. તેવી જ રીતે જશોદાનગરમાંથી પસાર થતી ખારીકટ કેનાલમાં પુષ્કર હિલ પાસે ચાર દિવસથી ગટરના ગંદા પાણી કેનાલમાં છોડવામાં આવે છે. જેના લીધે આસપાસની સાતથી વધારે સોસાયટીના રહીશો ગંદા પાણીની દૂર્ગંધથી પરેશાન થઈ ગયા છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ ખુદ મ્યુનિ દ્વારા જ ગટરના પાણી કેનાલમાં છોડવામાં આવી રહ્યા છે. એટલે લોકોને સ્વચ્છતા રાખવાની અને કેનાલમાં ગંદકી નહીં કરવાની સુફિયાણી સલાહો આપતા મ્યુનિ તંત્ર નિયમોનું ઉલ્લંધન કરી રહ્યું છે.

એટલે કેનાલમાં ગંદકી કરનારા સામે કડક પગલાં ભરવાની તંત્રના દાવા પોકળ નીકળતાં દિવા તળે અંધારા જેવો ઘાટ ઘડાયો છે.સ્થાનિકોના જણાવ્યા મુજબ, મ્યુનિ. તંત્રમાં રજૂઆત કરી તો જવાબ મળે છે કે ગટરના પાણીના સ્તર ઉપર આવી ગયા હોવાથી જો પાણી કેનાલમાં છોડશે નહીં તો રહિશોની તકલીફ વધશે. આમ ગટરના પાણીનું લેવલ વધી ગયું હોવાથી તેને આ રીતે કેનાલમાં છોડાય છે. એમ કહીને તંત્રે હાથ અધ્ધર કરી લીધા છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર