ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ, 2020માં આપ્યા હતા. જે તે સમયે મજૂરીના રૂ. 24 હજાર નક્કી થતા અંજનાબેન રૂ. 18 હજાર આપ્યા હતા અને બાકીના દાગીના આપે ત્યારે આપવાનું નક્કી કર્યું હતું.

દરમિયાન કોરોના આવતા દુકાન બંધ રહેતી હોઈ અંજનાબેને દાગીના નહીં બનાવવાનું કહેતા નિમેષકુમારે બે ત્રણ માસમાં દાગીના બનાવી આપવાનું કહ્યુ હતુ. બે ત્રણ મહિના વીતી ગયા બાદ રણી અને રૂપિયાની ઉઘરાણી કરતા નિમેષકુમારે જે કારીગરને દાગીના બનાવવા આપ્યા છે તેને એકસીડન્ટ થયો હોવાનુ કહ્યુ હતુ.

અંજનાબેને કારીગરને મળવા હોસ્પિટલ જવાનુ કહેતા તેમના મળવા લઈ ગયા નહતા. ફરી ઉઘરાણી કરતા કારીગર કોલકત્તા બાજુનો હોઈ દાગીનાની રણી લઈ જતો રહ્યો હોવાનુ કહ્યુ હતુ. આમ દાગીનાની રણી કે એડવાન્સ રૂપિયા પરત નહી આપતા કંટાળીને અંજનાબેનએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં જવેલર્સ નિમેષકુમાર શાહ સામે છેતરપીંડી ફરિયાદ નોંધાવી છે.

  • Related Posts

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ વટવામાં અમી નૂરનગરમાં રહેતા અલ્તાફ મેમણ ના પિતા વટવા જુના પોલીસ સ્ટેશનની બહાર ઓઈલની કેબિન ધરાવીને વેપાર કરે છે.જયારે અલ્તાફ ઓટોરીક્ષા ચલાવે છે. ગત…

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    SOG શાખાએ 6 સાગરીતોને દબોચ્યા : 3 વોન્ટેડ અમદાવાદ ગ્રામ્ય SOG શાખાએ ગાંધીધામ થી કેમિકલ ભરેલું ટેન્કર, ચાંગોદર કંપનીમાં પહોંચે તે પૂર્વે ટેન્કર માલિકે બાકરોલ બુજરંગ કેમિકલ કંપનીને 2300 કિલો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં રૂપિયાની લેતી દેતી મામલે દુકાનને આગ ચાંપી

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    કણભા-બાકરોલમાં ટેન્કરમાંથી કેમિકલ ચોરતી ટોળકી ઝડપાઈ

    744 પોલીસ કર્મચારીઓની નજીકનાં સ્ટેશને બદલી કરાઈ

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    દિવાળીના તહેવારોમાં પોલીસે વેપારીઓને સાવચેત રહેવા અને ગુનેગારોને મર્યાદામાં રહેવા ચીમકી આપી

    ઇસનપુરમાં પેટ્રોલ ચોરી કરતો યુવક નાસવા જતા પટકાતા મોત

    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન

    • By swagat01
    • September 28, 2025
    • 9 views
    અસલાલીના ગરનાળામાં 15 દિવસથી પાણી ભરાયાં, રસ્તો બંધ લોકો હેરાન