હિસાબ ન આપતાં નારણપુરાની સોસાયટી વહીવટદાર હસ્તક

કમિટીને હિસાબ રજૂ કરવા વારંવાર નોટિસ અપાઈ હતી

નારાણપુરાની ભાવદીપ કો.ઓપરેટિવ હાઉસિંગ સોસાયટી- રંગ મિલન ફ્લેટની સોસાયટી કમિટીએ હિસાબો રજૂ ન કરતા સહકારી મંડળીઓના જિલ્લા રજિસ્ટારે કડક કાર્યવાહી કરી છે. રંગ મિલન ફ્લેટમાં સોસાયટી કમિટી બર્ખાસ્ત કરીને સરકારી વહીવટદાર નિમાયા છે. હવે સોસાયટીની તમામ બાબતોનો નિર્ણય સરકારી વહીવટદાર લેશે. આવનારા 6 મહિનામાં ચૂંટણી કરીને નવી કમિટી પણ બનાવી શકાશે. હાલમાં સોસાયટીનો તમામ

વહિવટ જિલ્લા રજિસ્ટારે નિમેલા વહીવટદાર કરશે.

નારાણપુરાની રંગમિલન ફ્લેટમાં લાંબા સમયથી સોસાયટીની કમિટી દ્વારા હિસાબો રજૂ કરાતા ન હતા. જેને લઇને જિલ્લા રજિસ્ટાર દ્વારા કમિટીને જૂના હિસાબો રજૂ કરવાની વારંવાર નોટીસો આપવામાં આવી હતી. આ ઉપરાંત સોસાયટીની કમિટીને હાજર થવા માટેના સમન્સ આપ્યા હતા. તેમ છતા કમિટી હિસાબો સાથે હાજર થતી ન હતી. સોસાયટી કમિટીના સભ્યોના જણાવ્યા મુજબ, માત્ર ગયા વર્ષના જ હિસાબો બાકી છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર