સરદારનગરમાંથી દારૂ-બિયરની 1560 બોટલ સાથે એક ઝડપાયો

એક મહિલા જથ્થો રાખી વેચાણ કરતી હતી

શહેરના સરદારનગરમાંથી ગુના નિવારણ શાખાએ વિદેશી બનાવટના દારૂની અને બિયરની મળી કુલ 1560 બોટલો મળી કુલ રૂ. 1.85 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ અંગે એક મહિલા સહિત બે સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

ગુના નિવારણ શાખાને બાતમી મળી હતી કે નરોડા એસ ટી વર્કશોપની બાજુમાં મહાજનીયા વાસમાં શ્યામસુંદર માર્કેટમાં ઘરનંબર 112 તથા દુકાન નંબર 59માં વિદેશી બનાવટનો દારૂ અને બિયરનો જથ્થો રાખવામાં આવ્યો છે.

બાતમીના આધારે પોલીસટીમે સ્થળ પર રેડ કરીને અમિત માલાભાઈ ઠાકોરને પકડીને તપાસ કરતા ઘર અને દુકાનમાંથી વિદેશી બનાવટની દારૂ અને બિયરની કુલ 1560 બોટલો કિંમત રૂ..1,85,305 ની મળી આવી હતી. આ અંગે અમિત ઠાકોરની પુછપરછ કરતા આ દારૂ બિયરનો જથ્થો પદમાબેન નિરજભાઈ રાઠોડ( છારા)નો હોવાનુ અને અમિત રોજના 700 રૂપિયા મેળવી વિશ્વાસુ ગ્રાહકોને દારૂ બિયર વેચતો હોવાની કબુલાત કરી હતી. આ અંગે સરદારનગર પોલીસ સ્ટેશનમાં અમિત ઠાકોર અને વોન્ટેડ પદમાબેન સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  • Related Posts

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    વધુ 5 હજાર આપવાનો ઈન્કાર કરતા ઝઘડો કર્યો અમરાઈવાડીમાં રહેતા ગૌતમભાઈ પરમારના કોટુંબિક ભાઈ ધ્રુવ મુકેશભાઈ મકવાણાને મગજની તકલીફ હોઈજીસીએસ હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જેની સારવાર માટે પૈસાની જરૂર હોઈ…

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    ઈસનપુરમાં રહેતા અંજનાબેન કલ્પેશકુમાર શાહ (ઉ.61)ને તેમના લગ્ન વખતે કરીયાવરમાં આવેલા જુના દાગીના ગાળીને નવા બનાવવા હોઈ તેમના દુરના સગામાં જમાઈ અને ભાડુઆતનગરમાં દુકાન ધરાવતા નિમેષકુમાર કૌશિકભાઈ શાહને 19 માર્ચ,…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    અમરાઈવાડીમાં દર્દીને મદદ કરનારાને તેના ભાઈએ માર્યો

    ઈસનપુરમાં વૃદ્ધાએ દાગીના બનાવવા આપતા જવેલર્સે છેતરપિંડી આચરી

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર