ગીતામંદિર રોડ પર એક સપ્તાહથી સ્ટ્રીટલાઈટો બંધ રહેતા લોકો હેરાન

મ્યુનિ.ના વાંકે રોડ પર બ્લેકઆઉટ જેવો માહોલ જોવા મળે છે

શહેરના ગીતા મંદિર રોડ પર છેલ્લા એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ છે. એટલે આ વિસ્તારમાં મ્યુનિ. ના વાંકે એક સપ્તાહથી બ્લેક આઉટ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે તાકિદે સમારકામ કરવા રજૂઆત કરવા છતાં કોઈ કામગીરી કરાતી નથી.

આ અંગે સ્થાનિક છગનલાલ રાઠોડે જણાવ્યું હતું કે, શહેરના હાર્દસમા ગીતામંદિર અને આસપાસના વિસ્તારમાં એક સપ્તાહથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ ગઈ છે. જેના લીધે સમગ્ર વિસ્તારમાં અંધારપટ છવાઈ ગયું છે. અવારનવાર આ વિસ્તારની સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જવાની ફરિયાદો ઊઠતી હોય છે. એટલે લોકો ફરિયાદો કરે ત્યારે થીંગડા મારવા જેવી કામગીરી કરીને જતાં રહે છે.

એટલે ફરીથી સ્ટ્રીટ લાઈટો બંધ થઈ જાય છે. એટલે આ સ્ટ્રીટલાઈટો શરૂ કરવા મામલે અવારનવાર રજૂઆતો કરી છે. જો કે મ્યુનિ.ના ઓનલાઈન ફરિયાદ નંબર પર ફરિયાદો નોંધાવી છતાં કોઈ કામગીરી કરતા જ નથી. જેના લીધે વિસ્તારના રહીશોને હેરાન થવાનો વારો આવ્યો છે. જો કે નજીકમાં ગીતામંદિર એસટી ડેપો હોવાથી મોટી સંખ્યામાં રાજ્યભરમાંથી આવતા મુસાફરો આ રોડથી અવરજવર કરતા હોય છે. એટલે મુસાફરો અને સ્થાનિકોના હીતમાં તાત્કાલિક સ્ટ્રીટલાઈટો શરૂ કરવામાં આવે તેવી લોકમાર્ગ ઊઠી છે.

  • Related Posts

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    વટવા જીઆઈડીસીમાં ફેઝ-૩ માં ત્રિકમપુરા પાટીયા કર્ણાવતી એસ્ટેટમાં આવેલા ઓટોમેટ કન્ટ્રોલ નામની કંપનીમાં ગત તા 30 મેના સાંજના 6 થી 31 મે ના સવારના 10 વાગ્યાના સમયગાળામાં તસ્કરો ત્રાટકયા હતા.…

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    ટીડીઓ વિભાગના વાંધાઓ જ ધ્યાન ન લેવાયા શહેરમાં ઓઢવ વિસ્તારમાં મ્યુનિ. દ્વારા ગરીબો માટે બનાવવામાં આવેલા ઇડબલ્યુએસ આવાસો તૈયાર થઈ ગયા છે. જોકે આ આવાસોમાં જીડીસીઆરના નિયમ પ્રમાણે અનેક બાબતોનો…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    વટવામાં તાળું તોડી 1.80 કોપરની ચોરી કરી

    ઓઢવના આવાસમાં નિયમો નેવે મુકી તંત્રે બીયુ પરમિશન આપી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    નકલી ડૉક્ટર, નકલી હોસ્પિટલ, અસલી દર્દી

    મણિનગરમાં યુવતીને ફેક આઈડી બનાવી બદનામ કરવાનો પ્રયાસ

    વટવા GIDCની કંપનીમાંથી રૂ. એક લાખના વાયરની ચોરી

    વિપક્ષના નેતા શહેઝાદખાનને જાનથી મારી નાખવાની ધમકી