મણિનગરમાં પોલીસે 150 CCTV ચેક કરી 4 ઘરફોડ ચોરને ઝડપી લીધા

બે દિવસ પહેલા વેપારીના ઘરેથી 5.47 લાખની ચોરી થઈ હતી

મણિનગરમાં રહેતા સોની વેપારી રાજસ્થાન પ્રસંગમાં જતા તેમના ઘરમાંથી બે દિવસ પહેલા સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 5.47 લાખની ચોરી થઈ હતી.આ મામલે પોલીસે 50 જગ્યાના 150 સીસીટીવી ફૂટેજ ચેક કરી એક શંકાસ્પદ લાગતી રીક્ષાના ચાલકને પકડી તપાસ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.પોલીસે આ મામલે રીક્ષાચાલક સહિત ચાર રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનાના મુખ્ય સૂત્રધારને પગમાં સળીયો નાખ્યો હોઈ સારવાર માટે કોઈએ રૂપિયા નહી આપતા તેણે અન્ય લોકો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

મણિનગરમાં જયનગર સોસાયટીમાં રહેતા સોનાનો શો રૂમ ધરાવી વેપાર કરતા મહેશભાઈ ફૂટરમલ સોનીના મકાનના બાથરૂમની બારીના કાચ કાઢી ઘરમાં પ્રવેશી સોનાચાંદીના દાગીના, આઈફોન, વિગેરે મળી રૂ.5.47,845 ની ચોરી થઈ હતી.

પોલીસને ઘટના સ્થળે એક શંકાસ્પદ રીક્ષા દેખાઈ હોઈ પીઆઈડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના 50 સ્થળોએ 150 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી રીક્ષાને ઓળખી પાડી હતી. જેમાં ચાર માલિકો બદલાયા હોઈ તપાસને અંતે પોલીસે રીક્ષાચાલક મુસ્તુફા ઉર્ફે ભજ્જ શેખ પાસે હોવાનુ ખુલતા પોલીસે તેને રાઉન્ડ અપ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. જેના આધારે પોલીસે અન્ય આરોપીઓ મોહસીન અનવરહુસૈન શેખ, સમીરખાન ઉર્ફે કાણિયો ઈબ્રાહિમખાન પઠાણ, સરફરાજ ઉર્ફે દતુ મુનિર અહેમદ અંસારી અને મુસ્તુફા ઉર્ફે ભજ્જ મુમતાજ અલી શેખ ની ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં ઘરફોડ ચોરીની ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે સમીરખાન ઉર્ફે કાણિયો હોવાનુ બહાર આવ્યુ હતુ. જેને પગમાં સળીયો નાંખેલો હોઈ સારવાર માટે રૂપિયાની જરૂર હતી જો કે સગાસબંધી અને મિત્રો પાસે રૂપિયાની માંગણી કરતા કોઈએ મદદ કરી નહતી.અંતે તેણે પોતાના ઘરફોડીયા સાગરીતોને વાત કરી અને ચોરીનો પ્લાન બનાવાયો હતો. મણિનગરમાં નીકળેલી ગેંગે સોની વેપારીનુ બંધ મકાન જોઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે ચોરી કરી રીક્ષામાં નાસતા તમામ પકડાઈ ગયા હતા. તમામ આરોપીઓ અગાઉ સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે.

  • Related Posts

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    સ્કીમના નામે ઠગાઈની મેઘાણીનગરમાં ફરિયાદ મેઘાણીનગરમાં મંદિરનું સંચાલન કરતા કરતા કોરોનાકાળમાં ફાયનાન્સ કંપની ખોલીને લોકોને બચત યોજનાના નામે લોભામણી લાલચ આપીને રૂપિયા લઈ પાકતી મુદ્દતે નાણાં પરત નહી આપવા બદલ…

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને હેરાનગતિ વહેલી તકે કામગીરી પૂર્ણ કરવા સ્થાનિકોની તંત્રમાં રજૂઆત શહેરના પૂર્વના નિકોલ વોર્ડમાં છેલ્લા પાંચ વર્ષમાં બે લાખ જેટલા લોકો વસવાટ કરવા આવ્યા છે. એટલે…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    નિવૃત્ત પોલીસકમીના પરિવાર સાથે 2.90 લાખની છેતરપિંડી

    નિકોલમાં મ્યુનિ. દ્વારા લાઈબ્રેરી બનાવાનું કામ વર્ષથી મંથરગતિમાં

    અમરાઈવાડીમાં યુવકને મારી ફરિયાદ પાછી ખેંચવા ધમકી

    પૂર્વના વર્ષો પુરાણા જર્જરિત બનેલાં 3328 સરકારી આવાસોના સ્ટ્રકચરલ ઓડિટને મંજૂરીની મહોર

    ઈસનપુરમાં વિધવાને લગ્નની લાલચ આપી દાગીના લઈ ફરાર ગઠિયો સુરતથી ઝડપાયો

    ખોખરામાં યુવતીના ઘરે તોડફોડ કરનારા યુવક, મિત્રની ધરપકડ