મણિનગરમાં પોલીસે 150 CCTV ચેક કરી 4 ઘરફોડ ચોરને ઝડપી લીધા

બે દિવસ પહેલા વેપારીના ઘરેથી 5.47 લાખની ચોરી થઈ હતી

મણિનગરમાં રહેતા સોની વેપારી રાજસ્થાન પ્રસંગમાં જતા તેમના ઘરમાંથી બે દિવસ પહેલા સોનાચાંદીના દાગીના મળી કુલ રૂ. 5.47 લાખની ચોરી થઈ હતી.આ મામલે પોલીસે 50 જગ્યાના 150 સીસીટીવી ફૂટેજ ચેક કરી એક શંકાસ્પદ લાગતી રીક્ષાના ચાલકને પકડી તપાસ કરી સમગ્ર ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો.પોલીસે આ મામલે રીક્ષાચાલક સહિત ચાર રીઢા ઘરફોડ ચોરની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ગુનાના મુખ્ય સૂત્રધારને પગમાં સળીયો નાખ્યો હોઈ સારવાર માટે કોઈએ રૂપિયા નહી આપતા તેણે અન્ય લોકો સાથે મળીને ચોરીનો પ્લાન બનાવ્યો હતો.

મણિનગરમાં જયનગર સોસાયટીમાં રહેતા સોનાનો શો રૂમ ધરાવી વેપાર કરતા મહેશભાઈ ફૂટરમલ સોનીના મકાનના બાથરૂમની બારીના કાચ કાઢી ઘરમાં પ્રવેશી સોનાચાંદીના દાગીના, આઈફોન, વિગેરે મળી રૂ.5.47,845 ની ચોરી થઈ હતી.

પોલીસને ઘટના સ્થળે એક શંકાસ્પદ રીક્ષા દેખાઈ હોઈ પીઆઈડી.પી.ઉનડકટ તથા સ્ટાફ દ્વારા આસપાસના વિસ્તારના 50 સ્થળોએ 150 જેટલા સીસીટીવી ફુટેજ ચેક કરી રીક્ષાને ઓળખી પાડી હતી. જેમાં ચાર માલિકો બદલાયા હોઈ તપાસને અંતે પોલીસે રીક્ષાચાલક મુસ્તુફા ઉર્ફે ભજ્જ શેખ પાસે હોવાનુ ખુલતા પોલીસે તેને રાઉન્ડ અપ કરતા તેણે વટાણા વેરી દીધા હતા. જેના આધારે પોલીસે અન્ય આરોપીઓ મોહસીન અનવરહુસૈન શેખ, સમીરખાન ઉર્ફે કાણિયો ઈબ્રાહિમખાન પઠાણ, સરફરાજ ઉર્ફે દતુ મુનિર અહેમદ અંસારી અને મુસ્તુફા ઉર્ફે ભજ્જ મુમતાજ અલી શેખ ની ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં ઘરફોડ ચોરીની ઘટનામાં મુખ્ય સૂત્રધાર તરીકે સમીરખાન ઉર્ફે કાણિયો હોવાનુ બહાર આવ્યુ હતુ. જેને પગમાં સળીયો નાંખેલો હોઈ સારવાર માટે રૂપિયાની જરૂર હતી જો કે સગાસબંધી અને મિત્રો પાસે રૂપિયાની માંગણી કરતા કોઈએ મદદ કરી નહતી.અંતે તેણે પોતાના ઘરફોડીયા સાગરીતોને વાત કરી અને ચોરીનો પ્લાન બનાવાયો હતો. મણિનગરમાં નીકળેલી ગેંગે સોની વેપારીનુ બંધ મકાન જોઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો જો કે ચોરી કરી રીક્ષામાં નાસતા તમામ પકડાઈ ગયા હતા. તમામ આરોપીઓ અગાઉ સંખ્યાબંધ ઘરફોડ ચોરીના ગુનામાં પકડાયેલા છે.

  • Related Posts

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવા, ખાડિયા, નરોડા, કુબેરનગર અને સરદારનગરની સમસ્યાઓ ઉકેલવા આયોજન નરોડામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાના ઉકેલ માટે સ્ટોર્મ વોટર લાઈન નખાશે શહેરના પૂર્વના 5 વોર્ડમાં ડ્રેનેજ, સ્ટોર્મ વોટર લાઈન, રોડ અને…

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    વટવા જીઆઈડીસીમાં કેમિકલ કંપનીમાં આગ લાગતા એક આધેડ દાઝી ગયા હતા જેમનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. ધંધુકા નવાપરામાં રહેતા નિતિનભાઈ પનારા(ઉ 55) ગત તા બીજી મે ના રોજ બપોરના…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    5 વોર્ડમાં રૂ.7.35 કરોડના ખર્ચે ડ્રેનેજ,સ્ટોર્મ વોટર, આરસીસી રોડ અને પેવર બ્લોકની કામગીરી કરાશે

    વટવામાં આગમાં દાઝી ગયેલા કામદારનું અંતે મોત

    નિકોલ પોલીસે ગુમ થયેલા 15 ફોન નાગરિકોને પરત કર્યા

    નરોડા મુઠિયામાં બુટલેગરના બે માળના ગેરકાયદે મકાનને તોડી પડાયું

    સરદારનગરમાં લોરેન્સ બિશ્નોઈના નામે ખંડણી ઉઘરાવનારો વડોદરાથી ઝડપાયો

    હાથીજણમાં શિક્ષણ સહિત પ્રાથમિક સુવિધાઓ મળતી ન હોવાથી બિલમાંથી તેનો ટેક્સ બાદ કરો